Vande Gujarat News
Breaking News
BharuchBJPBreaking NewsDahejGujarat

આજરોજ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ..

આજરોજ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ..


માનનિય શ્રી ભારતસિંહ પરમાર સાહેબ (પૂર્વ સાંસદ શ્રી રાજ્યસભા ,પૂર્વ મહામંત્રી ભાજપ ) દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ ભરૂચ જિલ્લાની દરેક બાળકીઓને મળે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 72 માં જન્મદિવસ નિમિત્તે 7200 ખાતાઓ અર્પણ કરી શકાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેમની સાથે ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા જી , મહામંત્રી શ્રી નિરલભાઇ પટેલ જી તથા ભરૂચ જિલ્લા ભાજપાની પૂરી ટીમ આ આ કામ માટે કાર્યરત થયેલ છે..આ કાર્ય તેઓ અસ્મિતા વિકાસ કેન્દ્ર સાથે સહયોગી થઈને કરી રહ્યા છે ..ઘણા બધા દાતાશ્રીઓએ પોતાનો અમૂલ્ય ફાળો પણ આપેલ છે, અને જેના કારણે હાલ અત્યાર સુધીમાં 4000 જેટલા ખાતા ખોલાવી ચૂક્યા છે .આજરોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ૧૧૦૦ બાળકીઓ ના જે નવા ખાતાઓ ખોલવામાં આવ્યા તે દીકરીઓને ” સુકન્યા પાસબુક”નો વિતરણ કાર્યક્રમ તથા 11 લાખનો ચેક શ્રી ભારતસિહં પરમાર તથા તેમની ટીમ દ્વારા પોસ્ટ ના સુપરિટેન્ડેન્ટ શ્રી આર. બી ઠાકોર સાહેબ અર્પણ કરવામાં આવ્યો.


આ કાર્યક્રમમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી મગન ભાઈ હનિયા સાહેબ તથા સેક્રેટરી શ્રી બળદેવભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા .તેઓએ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન તરફથી બે લાખ રૂપિયાનો ચેક સુકન્યા સમૃદ્ધિ સમૃદ્ધિ યોજના માટે શ્રી ભારત શ્રી પરમાર સાહેબને અર્પણ કર્યો હતો .આ કાર્યક્રમમાં શ્રી ભારત સિહ પરમાર સાહેબ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા સાહેબ , મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ સાહેબ , ભરૂચ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, ખુમાનસિંહ વાસિયા સાહેબ ( પ્રમુખ શ્રી NAB, ભરૂચ ) , ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના હેમરાજ ભાઈ પટેલ જી તથા અસ્મિતાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સમીરભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી યશવંતભાઈ પટેલ અને ચંદ્રકાંતભાઈ પટેલ , પોસ્ટ ઓફિસ નો સ્ટાફ , અસ્મિતા વિકાસ કેન્દ્રનો સ્ટાફ તથા જેના સુકન્યા હેઠળ ખાતા ખોલવામાં આવ્યા હતા તે બાળકીઓ તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહી હતી.. તેઓને મહેમાનશ્રી ઓ ના હસ્તે પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતો..


શાળાના મનોદિવ્યાંગ બાળકોએ ખુબ સરસ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી..કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રીમતી મનીષાબેન ત્રિવેદીએ કરેલ હતું .મહેમાનશ્રી ઓએ સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની અરુણાબેન તથા સંસ્થા ના ટ્રસ્ટી શ્રીઓ ની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ સંસ્થા ના સેવાકિય કાર્યને ખૂબ બિરદાવ્યું હતું

संबंधित पोस्ट

હવે એસીબીના હાથે ઝડપાશો તો જુઠ્ઠુ નહીં બોલી શકો – લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

Vande Gujarat News

પાલિકાની સામાન્ય સભાના મુદ્દે વિપક્ષનું 72 કલાકનું અલ્ટીમેટમ – સભા નહીં કરો તો પ્રમુખની ચેમ્બર બહાર જમીન પર બેસી જનતા સભા કરીશું – વિપક્ષ

Vande Gujarat News

એક તરફી લવ જેહાદ – ફરિદાબાદ હત્યાકાંડ : તૌસિફ કોંગ્રેસના ધારાસભ્યનો પિતરાઇ ભાઈ છે, તૌસિફ અને તેની માતાએ નિકિતા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું

Vande Gujarat News

પીઓકેમાં ભારતીય સૈન્યે વિનાશ વેર્યો, અમારા 11 સૈનિકોના મોત : પાક.ની કબૂલાત – પીઓકેની નીલમ-લીપા ઘાટીમાં ભારતનો સૌથી મોટો હુમલો

Vande Gujarat News

સાબરમતી આશ્રમ થી દાંડી યાત્રાના સાયકલ સવારો બે દિવસની યાત્રા પૂર્ણ કરી ભરૂચ ખાતે પહોચ્યા.

Vande Gujarat News

લવ જેહાદ – વડોદરા ખાતે એબીવીપી દ્વારા હરિયાણામાં એકતરફી પ્રેમમાં અંધ વિધર્મી યુવકે એક યુવતીને ગોળી મારી હત્યા કરવાના મામલે પૂતળા દહન કરવામાં આવ્યું.

Vande Gujarat News