



- 2.5 કિમી લંબાઇ ધરાવતું એરસ્ટ્રીપની કામગીરી પુરજોશમાં
- રાજ્યના ઉડ્ડયન મંત્રીએ એરસ્ટ્રીપની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
- 90 કરોડના ખર્ચે 18 મહિનામાં પ્રોજેકટ પૂર્ણ કરાશે
અંકલેશ્વર અમરત પુરા પાસે રાજ્યની સૌથી મોટી હવાઈ પટ્ટી બનવા માટેની કવાયાત ઝડપી બની છે.જેમાં 2.5 કિમી લાંબાઈ ધરાવતી એરસ્ટ્રીપ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે.
ઉડ્ડયન મંત્રીએ સ્થળ મુલાકાત લઈને કામની સમિક્ષા કરી
ભરૂચ જિલ્લા પાસે હવાઈ સેવા ન હતી. ત્યારે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે 100 ફાળવીને કાર્ગો સર્વિસ સેવા ઉભી કરવામાં આવનાર જાહેરાત ગત 25 મી ડિસેમ્બરના રોજ કરાઈ હતી.જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે ઈજારો આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં હાલ અઢી કિમી લાંબો રનવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત છે જે વચ્ચે ગત રોજ રાજ્ય ઉડ્ડયન મંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલ સાથે એર સ્ટ્રીપની ઓચિંતી મુલાકત લઈને કામગીરીની સમીક્ષા કરીને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપવમાં આવી હતી.જેમાં ઇજારદાર દ્વારા કામગીરી 18 મહિના કરતા પહેલા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
સૌ પ્રથમ કાર્ગો સેવા શરૂ થનાર છે
રાજ્ય સરકાર અંકલેશ્વરના માંડવા ખાતે એરસ્ટ્રીપ સ્થળ એટલે અમરતપુરા ખાતે કાર્ગો સર્વિસની સેવા શરૂ કરશે.રાજ્યના સુરત અમદાવાદના વડોદરા બાદ ભરૂચ માં અઢી કિમીનો રનવે બનવા જઈ રહ્યો છે. જેના પર બોઈંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે.બીજા ફૈઝમાં વિમાન રીપેરીંગ સેન્ટર, કાર્ગો હેન્ગર સહિતની અન્ય સેવા કામગીરી શરુ કરાશે.- દુષ્યંત પટેલ, નાયબ દંડક, વિધાનસભા ગુજરાત