Vande Gujarat News
Breaking News
Bharuch

નેત્રંગ,હાંસોટ અને અંક્લેશ્વરમાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં : ઉભા પાકનેે નુકશાન થી ખેડૂતોના માથે ચિંતાની લકીર

ભરૂચ જિલ્લામાં આજે ગુરૂવારે વાતાવરણમાં પલટા સાથે સૂસવાટા ભર્યા પવન ફૂંકાયાં હતાં. જ્યારે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી. જિલ્લામાં આજે અંક્લેશ્વર નેત્રંગ અને હાંસોટના કેટલાંક વિસ્તારોમાં છુટા-છવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ચોમાસાની ઋતુ પુરી થઇ ગયાં બાદ હવે જ્યારે શિયાળાના આગમનની રાહ જોવાઇ રહી છે. ત્યાર અચાનક વાતાવરણમા પલટા સાથે થયેલાં વરસાદથી ખેડૂતોના માથે પાક નુકશાનીને લઇને ચિંતાની લકીર ઉપસી આવી છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ચોમાસામાં અતિવૃષ્ટીમાં પાક ધોવાણનું નુકશાન વેઠ્યું છે. સરકાર દ્વારા હજી તેમને સહાય ચુકવવાની કામગીરી શરૂ કરાઇ નથી. ત્યાં ખેડૂતોના માથે પુન: ચિંતાના વાદળો ઘુમવા લાગ્યાં છે. જિલ્લામાં આજે ગુરૂવારે નેત્રંગ, હાંસોટ તેમજ અંક્લેશ્વર પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ઉપરાંત આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે ચોમાસાના નુકશાનને ખેડૂતો હજી ભુલ્યાં નથી. ત્યાં આજે વરસેલાં વરસાદને કારણે નેત્રંગ પંથકમાં સોયાબીનની ખેતીથી સંકળાયેલાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉપરાંત કપાસમાં ઝીંડવું ખીલી ગયું હોઈ વરસાદથી તેમાં ભેજ થતાં કપાસને પણ નુકશાનની ભિતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. જોકે ડાંગર અને તૂવેર જેવા પાકને હાલમાં કોઇ ખાસ અસર પડ તેમ ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે બ્લોક હેલ્થ મેળાનું સફળ આયોજન, ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરી પ્રત્યેક જવાબદાર નાગરિક આગળ ચાલીને પોતાની ફરજ અદા કરશે તેવી પ્રતિજ્ઞા લેવડાવામાં આવી

Vande Gujarat News

ભરૂચ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ થી ઠંડક પ્રસરી.

Vande Gujarat News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડીયાની પૂર્ણાહુતી તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

ભરૂચ જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા ઝઘડિયા ખાતે આયુષ મેળો યોજાશે

Admin

મિત્રના અવસાન પછી તેની ઇચ્છા પુરી કરી યુવાનોએ નવા વર્ષે 200 બેટનું વિતરણ કર્યું

Vande Gujarat News

મનસુખ વસાવાના રાજીનામાને કારણે અન્ય નેતાઓનો અસંતોષ ફાટી ન નીકળે તેની ભાજપને ચિંતા

Vande Gujarat News