Vande Gujarat News
Breaking News
BharuchBreaking News

ભરૂચ-અંક્લેશ્વરની ચાર લેબમાં હવે થશે એન્ટીબોડી ટેસ્ટ : જીઆઈડીસીમાં કામ કરવા આવતાં પરપ્રાંતિય શ્રમિકોનું સ્ક્રિનિંગ થઈ શકશે.

જીલ્લામાં હાલમાં ૫૭ કેન્દ્રો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકે અને સંક્રમિત દર્દીઓને શોધી તેમની સત્વરે સારવાર થઇ શકે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગે ભરૂચ અને અંક્લેશ્વરની ૪ લેબને એન્ટીબોડી ટેસ્ટ માટે પરવાનગી આપવામાં આવી છે.
ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને અંકૂશમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે અન્ય રાજ્યોમાંથી જીલ્લામાં રોજગારીઅર્થે આવતાં લોકોમાંં કોરોનાનું સંક્રમણ છે કે કેમ તેમજ તેમનામાં કોરોનાને મ્હાત આપવા માટેની ઈમ્યુનિટી છે કે કેમ તે તપાસમાં માટે જીલ્લામાં ૪ લેબને એન્ટીબોડી ટેસ્ટની પરવાનગી આપવામાં આવી છે. જેેમાં ચારેય લેબોરેટરીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.જેમાં તેમને માત્ર આઇસીએમઆર માન્ય ELISA કે CLIA રેપીડ એન્ટી બોડી ટેસ્ટ કીટ જ વાપરવા તાકીદ કરી છે ઉપરાંત તેના ભાવ પણ નિયત કર્યા છે.જેમાં ELISA ફોર એન્ટીબોડી ટેસ્ટ દર્દી લેબમાં જઇને કરાવે તો તેના ૪૫૦ રૂપિયા આપવાના થશે, જો દર્દીના ઘરે કે અન્ય સ્થળે જઈ સેમ્પલ કલેક્ટ કરવાના હોય તો ૫૫૦ રૂપિયાની ફી નક્કી કરાઈ છે.ઉપરાંત તે જ પ્રકારે લેબમાં CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટના 500 અને ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાના ૬૦૦ રૂપિયા નક્કી કરાયાં છે.
સિમ્પ્ટોમિક દર્દીઓના એન્ટીજન કે આટીપીસીઆર ટેસ્ટથી દર્દીને કોરોના છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવતી હોય છે. જોકે એન્ટી બોડી ટેસ્ટમાં જો કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણ ન હોય પરંતુ તે કોરોનાથી સંક્રમિત થયો હોય તો એન્ટી બોડી ટેસ્ટના પરિક્ષણમાં તે ફલિત થઇ જતું હોય છે. ઉપરાંત જે તે વ્યક્તિ કોરોનાને મ્હાત આપવા માટે કેવી રીતે ઇમ્યુનિટી વધી રહી છે. તેની પણ માહિતી મળી શકે છે. જે કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.
ભરૂચની ગુંજન લેબોરેટરી અને અમી લેબોરેટરી સહિત અંકલેશ્વરની સ્માર્ટ પેેથોલોજી લેબ અને મોદી ક્લિનિક લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે.

संबंधित पोस्ट

અંકલેશ્વર નગરપાલિકામાં સેનેટાઈઝર કૌભાંડ ફરી એકવાર ગાજ્યું…

Vande Gujarat News

35 લાખના લાંચકાંડમાં PSI શ્વેતા જાડેજાને હાઇકોર્ટે જામીન આપ્યા – રૂપિયા એક લાખના બોન્ડ પર છૂટકારો

Vande Gujarat News

હિંમતનગરના ખેડૂતે ઇઝરાયલ ટેકનોલોજીની મદદથી ખેતી કરી, વાર્ષિક કરોડોની કમાણી

Vande Gujarat News

અંકલેશ્વર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાપે મુંગા પશુઓની હાલત દયનીય – વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ઔદ્યોગિક એકમોનો ઘનકચરો બાળવાના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Vande Gujarat News

IIFL લૂંટ કેસમાં સોનુ ખરીદનાર સોનીને ઝડપી પાડવાની કવાયત, લૂંટારૂઓએ 700 ગ્રામ સોનું રૂા.30 લાખમાં વેચી માર્યું હતું, કર્મચારીઓના મોબાઇલ અને ટેબલેટ શોધવાનો પ્રયાસ

Vande Gujarat News

અંકલેશ્વર માનવ નિર્મિત સંસ્થા મદદ હેલપિંગ હેન્ડ્સ સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ

Vande Gujarat News