Vande Gujarat News
Breaking News
Dharm

દેવી દુર્ગાનો અવતાર કેમ થયો?

ભરત ચુડાસમા : દેવીએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગાનું સ્વરૂપ લીધું હતું. દુર્ગા સપ્તશતીમાં દેવીના આ અવતાર વિશે ઉલ્લેખવામાં આવ્યો છે. પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામના અસુરે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો અને બધા દેવતાઓને ત્યાંથી ભગાડી દીધા. મહિષનો અર્થ ભેંસ થાય છે. મહિષાસુર પોતાની ઈચ્છા પ્રમાણે ભેંસનું સ્વરૂપ ધારણ કરી શકતો હતો. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે કોઇપણ દેવતા અને દાનવ તેને પરાજિત કરી શકશે નહીં.
બધા દેવતા મળીને પણ મહિષાસુરનો સામનો કરી શક્યા નહીં. ત્યારે તેઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યા, પરંતુ બ્રહ્માજીના વરદાનના કારણે ભગવાન શિવ અને વિષ્ણુ પણ મહિષાસુરનો વધ કરી શકતા નહોતા. ત્યારે બધા દેવતાઓના તેજથી દેવી દુર્ગા પ્રકટ થયાં.
શિવના તેજથી મુખ, યમરાજના તેજથી વાળ, વિષ્ણુજી દ્વારા હાથ, ચંદ્રથી વક્ષસ્થળ, સૂર્યથી પગની આંગળીઓ, કુબેરથી નાક, પ્રજાપતિથી દાંત, અગ્નિથી ત્રણેય નેત્ર, સંધ્યાથી ભૃકુટિ અને વાયુથી કાનની ઉત્પત્તિ થઇ. આ પ્રકારે દેવતાઓએ દેવીને પોત-પોતાની શક્તિઓ આપી હતી. ભગવાન શિવજીએ ત્રિશૂળ આપ્યું. અગ્નિદેવે પોતાની શક્તિદેવીને પ્રદાન કરી. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર, વરુણદેવે શંખ, પવનદેવે ધનુષ અને બાણ, દેવરાજ ઇન્દ્રએ વજ્ર ને ઘંટ, યમરાજે કાલદંડ ભેટ કર્યું. પ્રજાપતિ દક્ષે સ્ફટિકની માળા, બ્રહ્માજીએ કમંડળ, સૂર્યદેવે પોતાનું તેજ પ્રદાન કર્યું. સમુદ્રદેવે આભૂષણ ભેટ કર્યા. સરોવરે ક્યારેય ન કરમાયે તેવી માળા, કુબેરદેવે મધથી ભરેલું પાત્ર, પર્વતરાજ હિમાલયે સવારી કરવા માટે સિંહ ભેટ કર્યાં. દેવતાઓ દ્વારા મળેલી આ શક્તિઓથી દુર્ગાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરવાને કારણે દેવીને મહિષાસુરમાર્દિની કહેવામાં આવે છે.

संबंधित पोस्ट

मथुरा श्रीकृष्ण जन्मभूमि मामले में 22 मार्च को होगी अगली सुनवाई, नौ पक्षकारों के प्रार्थना पत्र अस्वीकार

Vande Gujarat News

સિધ્ધેશ્વરી માતાના મંદિરે યોજાતા મેળાની પરંપરા તૂટી, 36 વર્ષ પૂર્વે મંદિર પ્રાગણમાં અંબાજીથી જ્યોત લાવી મંદિર બનાવાયું હતુ

Vande Gujarat News

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 19 દેશોના યુવાનો કરશે સંગીતની પ્રસ્તુતિ, જાન્યુઆરી સુધી ચાલશે કાર્યક્રમો

Vande Gujarat News

पाकिस्तान में 1300 साल पुराना विष्णु मंदिर मिला, हिंदू राजाओं ने कराया था निर्माण

Vande Gujarat News

फेसबुक ने आपदा को अवसर में बदला, कोरोना महामारी के बीच रेवेन्यू 11% बढ़ा

Admin

ભરૂચ શહેરના ચકલા વિસ્તારમા સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઇ

Vande Gujarat News