Vande Gujarat News
Breaking News
Dharm

ઋતુઓના સંધિકાળમાં જ નવરાત્રિ કેમ આવે છે?

ભરત ચુડાસમા: હિંદુ પંચાંગ પ્રમાણે, એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવે છે. નવરાત્રિ બે ઋતુઓના સંધિકાળમાં શરૂ થાય છે. સંધિકાળ એટલે એક ઋતુના પૂર્ણ થવા અને બીજી ઋતુના આવવાનો સમય. બે નવરાત્રિ સામાન્ય રહે છે અને બે ગુપ્ત રહે છે. ચૈત્ર મહિના અને આસો મહિનાની સામાન્ય નવરાત્રિ માનવામાં આવે છે. માહ અને અષાઢમાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. હાલ વર્ષાઋતુના જવાનો સમય છે અને શીત ઋતુ શરૂ થઇ રહી છે. નવરાત્રિના દિવસોમાં પૂજા-પાઠ કરીને ખાન-પાનને લગતી સાવધાનીઓ રાખવાથી આપણે સીઝનલ બીમારીઓથી બચી શકીએ છીએ.
નવરાત્રિમાં વ્રત કેમ કરવામાં આવે છે?
ઋતુઓના સંધિકાળમાં ઘણા લોકોને સીઝનલ બીમારીઓ, જેમ કે શરદી-તાવ, પેટનો દુખાવો, અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં રોગથી બચવા માટે લંઘન નામની એક વિધિ છે. આ વિધિ પ્રમાણે વ્રત કરવાથી રોગથી છુટકારો મેળવી શકાય છે.
નવરાત્રિમાં અન્નનો ત્યાગ કરવાથી અપચાની સમસ્યા થતી નથી. ફળાહાર કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે. ફળ સરળતાથી પચી પણ જાય છે. દેવી પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંયમિત રહે છે, જેથી આળસ આવતી નથી. સવારે જલદી જાગવું અને પૂજા-પાઠ, ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ગુસ્સો અને અન્ય ખરાબ વિચાર દૂર રહે છે.

संबंधित पोस्ट

ત્રણ મહિનામાં પહેલીવાર બે દિવસથી કોવીડ સ્મશાન ગૃહમાં એક પણ અંતિમક્રિયા નહિ, રવિવાર અને આજનો મૃતકઆંક શૂન્ય થતા રિકવરી રેટમાં ખુબ સારું પરિણામ.

Vande Gujarat News

માં ભગીરથી રેવા સેવા ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિત્તે હવન પૂજા, ગૌ પૂજા, વૃક્ષારોપણ તેમજ ભજન સંધ્યા નું આયોજન કરાયું

Admin

દેવી દુર્ગાનો અવતાર કેમ થયો?

Vande Gujarat News

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે આઠમો પાટોત્સવ યોજાયો

Vande Gujarat News

केजरीवाल ने अक्षरधाम मंदिर में किया दिवाली पूजन, मंत्रियों ने भी लिया हिस्सा

Vande Gujarat News

નર્મદા નદીના ઘાટ પર શ્રાદ્ધ અને પિતૃ તર્પણ માટે લોકો ઉમટયા

Vande Gujarat News