Vande Gujarat News
Breaking News
Dharm

ઋતુઓના સંધિકાળમાં જ નવરાત્રિ કેમ આવે છે?

ભરત ચુડાસમા: હિંદુ પંચાંગ પ્રમાણે, એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવે છે. નવરાત્રિ બે ઋતુઓના સંધિકાળમાં શરૂ થાય છે. સંધિકાળ એટલે એક ઋતુના પૂર્ણ થવા અને બીજી ઋતુના આવવાનો સમય. બે નવરાત્રિ સામાન્ય રહે છે અને બે ગુપ્ત રહે છે. ચૈત્ર મહિના અને આસો મહિનાની સામાન્ય નવરાત્રિ માનવામાં આવે છે. માહ અને અષાઢમાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. હાલ વર્ષાઋતુના જવાનો સમય છે અને શીત ઋતુ શરૂ થઇ રહી છે. નવરાત્રિના દિવસોમાં પૂજા-પાઠ કરીને ખાન-પાનને લગતી સાવધાનીઓ રાખવાથી આપણે સીઝનલ બીમારીઓથી બચી શકીએ છીએ.
નવરાત્રિમાં વ્રત કેમ કરવામાં આવે છે?
ઋતુઓના સંધિકાળમાં ઘણા લોકોને સીઝનલ બીમારીઓ, જેમ કે શરદી-તાવ, પેટનો દુખાવો, અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં રોગથી બચવા માટે લંઘન નામની એક વિધિ છે. આ વિધિ પ્રમાણે વ્રત કરવાથી રોગથી છુટકારો મેળવી શકાય છે.
નવરાત્રિમાં અન્નનો ત્યાગ કરવાથી અપચાની સમસ્યા થતી નથી. ફળાહાર કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે. ફળ સરળતાથી પચી પણ જાય છે. દેવી પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંયમિત રહે છે, જેથી આળસ આવતી નથી. સવારે જલદી જાગવું અને પૂજા-પાઠ, ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ગુસ્સો અને અન્ય ખરાબ વિચાર દૂર રહે છે.

संबंधित पोस्ट

ભરૂચમાં શ્વાન (કુતરાઓ) ક્યાં કરે છે માતાજીની આરતી ? આસ્થા, શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે, ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે.

Vande Gujarat News

Shah Rukh Khan plays a scientist in Ranbir Kapoor, Alia Bhatt-starrer Brahmastra: report

Admin

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા તથા મહા આરતી અને ભંડારાનું આયોજન કરાયું

Vande Gujarat News

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા મંદિર નિધિ સંપર્ક બેઠક દહેજ ખાતે રાખવામાં આવી

Vande Gujarat News

Lohri 2021: कब मनाया जाएगा लोहड़ी का त्योहार? जानें इस दिन क्यों सुनी जाती है दुल्ला भट्टी की कहानी

Vande Gujarat News

લાભપાંચમથી વેપાર અને ધંધા શરૂ મુહૂર્તમાં વેપારીઓનું ચોપડા પૂજન

Vande Gujarat News