



બોર્ડ ઓફ ડીરેકટર્સની વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે ચૂંટણી યોજાય હતી.જેમાં હાંસોટ નાગરિક સહકારી બેંક લી.ના ભુતપૂર્વ ચેરમેન અને હાલના ડિરેકટર કરશનભાઈ રણછોડભાઈ પટેલની જીલ્લા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી થઈ હતી.
ધી ગુજરાત અર્બન કો- ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અમદાવાદ કે જે ગુજરાત રાજયની તમામ સહકારી બેંકોનું પ્રતિનિધિત્વ કરે છે.જેની બોર્ડ ઓફ ડીરેકટર્સની વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભરૂચ જીલ્લામાં આવેલ છ અર્બન કો-ઓપરેટીવ બેંક માટે એક પ્રતિનિધિની નિયુકતિ માટે ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં ભરૂચ જીલ્લાની બેઠક ઉપર ધી હાંસોટ નાગરિક સહકારી બેંક ના ભૂતપૂર્વ ચેરમેન તથા હાલના ડીરેકટર કરશનભાઈ રણછોડભાઈ પટેલની બિનહરીફ વરણી થયેલ છે.જે સમગ્ર ભરૂચ જીલ્લા માટે ગૌરવની વાત છે.જેઓને સહકારી ક્ષેત્રનો વિશાળ અનુભવ છે અને કો-ઓપરેટીવ બેંકને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં મદદરૂપ થશે.તેમ ભરૂચ જીલ્લાના સહકારી આગેવાનો આશા રાખે છે.