Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsBusinessGujaratIndiaOther

2 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ, 1 કરોડ વધુ GST કરદાતાને થશે ફાયદો

કોરોના મહામારીને ધ્યાને લઇને GST કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. જે કરદાતાનું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય તેમને વાર્ષિક રિટર્નમાંથી અને જેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તેમને GST ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાંથી છૂટ આપવામાં આવી છે. આમ જીએસટીના 1.10 કરોડ કરદાતાને આ છૂટનો લાભ મળશે.

હાલમાં જ જીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને રાહત આપતા 2019-20ના નાણાકીય વર્ષમાં રૂ. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને જીએસટી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાંથી છૂટ આપી છે. વધારામાં જે કરદાતાનું વાર્ષિક વેચાણ રૂ. 2 કરોડથી નીચે હોય તેમને વાર્ષિક રિટર્ન ભરવામાંથી પણ છૂટ આપી છે. આમ જીએસટી સાથે નોંધાયેલા 1.33 કરોડ કરદાતાઓમાંથી અંદાજે 1.10 કરોડ કરદાતાઓનું વેચાણ રૂ. 5 કરોડથી નીચે છે. જેને લઇને જીએસટી કરદાતાઓના મોટા વર્ગને વાર્ષિક રિટર્ન અને ઓડિટ ભરવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. જીએસટીના જૂના કાયાદા પ્રમાણે દરેક કરદાતાએ વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત હતું. જે કરદાતાનું રૂ. 2 કરોડથી વધારે ટર્નઓવર હોય તેમણે જીએસટી ઓડિટ કરાવું ફરજિયાત હતું. પરંતુ સરકારે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોને રિટર્ન ભરવામાં છૂટ આપી છે. જ્યારે રૂ. 5 કરોડથી નીચે અને રૂ. 2 કરોડથી ઉપરનું ટર્ન ઓવર ધરાવતા કરદાતાએ માત્ર વાર્ષિક રિટર્ન ભરવાનું રહેશે તેમને જીએસટી ઓડિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ સરકારે જીએસટી કરદાતાઓને મોટી રાહત આપી છે.

संबंधित पोस्ट

અમદાવાદમાં જન્મેલ બાળક ગર્ભમાં નહીં, આંતરડા પર વિકસિત થયું, લાખોમાં એક જોવા મળતા એબ્ડોમિનલ પ્રેગ્નન્સીના આ અનોખા કિસ્સાને મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ કરાશે

Vande Gujarat News

ગાંધીનગર – CMની અધ્યક્ષતામાં કોરોના સંદર્ભે બેઠક, આવતી કાલે પીએમ સાથે મળી શકે છે બેઠક

Vande Gujarat News

31 ઓકટોબર સુધી SOU વિસ્તાર નો ડ્રોન ઝોન, હથિયાર બંધી લાગુ – વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇને તંત્ર દ્વારા સુરક્ષાને અગ્રીમતા

Vande Gujarat News

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે પર નં-48 ઉપર ભરૂચ જિલ્લાના નબીપુર પાસે કારમાં આગ, કોઇ જાનહાનિ નહિ

Vande Gujarat News

मथुरा श्रीकृष्ण जन्मभूमि मामले में 22 मार्च को होगी अगली सुनवाई, नौ पक्षकारों के प्रार्थना पत्र अस्वीकार

Vande Gujarat News

राहुल गांधी ने बजरंग दल पर बैन को लेकर उठाए सवाल, कहा- क्या झूठ बोल रहा है Facebook

Vande Gujarat News