



નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને તેમના ઓફિસીયલ Twitter એકાઉન્ટ માધ્યમથી ફરિયાદ કરી શકશે.
મહેન્દ્રસિંહ જાડેજા : ચૂંટણીપંચે સોશ્યિલ મીડિયા મારફત આચાર સંહિતા ભંગની ફરિયાદો સાંભળવા માટે Twitter જેવી સોશ્યિલ મીડિયાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી કોઈપણ નાગરિક દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકશે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો Twitter Application દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો Twitter મોબાઇલ એપ્લીકેશનથી ફરિયાદ કરી શકે તે માટે DY DEO-MORBI Twitter Account પર Massage Twit કરી આદર્શ આચાર સંહિતા અંગેની ફરિયાદ કરી શકે છે. જેથી તાત્કાલિક ફરિયાદનો નિકાલ થઇ શકે.
Twitter મોબાઇલ એપ્લીકેશન દ્વારા ચૂંટણીલક્ષી ફરિયાદો દાખલ કરવાની આ સુવિધાનો લાભ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ અને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.