



મહેંદ્રસિંહ જાડેજા : મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ નોડેલ અધિકારી સાથે મોરબી માળિયા વિધાન સભા સીટ પર નિમાયેલ જનરલ ઓબઝરવર ડો. હરિઓમ ની અધ્યક્ષતા માં વિશેષ સમીક્ષા બેઠક સમીક્ષા બેઠક યોજાઇ..ચૂંટણી લાગતી વિવિધ બાબતે કરાયું આદાન પ્રદાન.
કોરોનાની પરિસ્થિતિમાં મતદાતાઓને આપવાની સુવિધાઓ આપવા પર મુકાયો
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નિરીક્ષણ માટે જનરલ ઓબઝર્વર તરીકે ડૉ. હરીઓમ, IAS ની નિમણૂંક કરવામાં આવી છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ કામગીરી સંભાળતા નોડેલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક જનરલ ઓબઝર્વર ડૉ. હરીઓમના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં શુક્રવારે સાંજે યોજાયેલ બેઠકમાં જનરલ ઓબઝર્વરશ્રી ડૉ. હરીઓમ દ્વારા તમામ નોડેલ અધિકારીઓ પાસેથી ચૂંટણીને અનુલક્ષીને અત્યાર સુધી કરેલ કામગીરીની જાણકારી મેળવી હતી. દરમિયાન જનરલ ઓબઝર્વર ડૉ. હરીઓમ દ્વારા સમગ્ર વિધાનસભા બેઠકની કાયદો અને વ્યવસ્થા અને ચૂંટણી દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના પર ભાર મુકીને વિવિધ સુચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાના સુક્ષ્મ બાબતોને પણ ધ્યાને લઇને કોઇપણ વાતની અવગણના ન કરવા અને ખાસ તકેદારી રાખવા પણ સુચના આપવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાતાઓની ફરિયાદોને લક્ષ્યમાં લઇને ત્વરીત કાર્યવાહી કરવા, ગેરકાયદેસરની પ્રવૃતિઓ પર રોક લગાવવા સાથે કોઇ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નોડેલ અધિકરીઓને તૈયાર રહેવા સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ કોઇપણ કામગીરીમાં ઢીલાશ ન આવે તે ખાસ જોવા અને તકેદારી લેવા સુચના પણ આપી હતી.
કોરોનાની પરિસ્થિતિમાં મતદાતાઓ જ્યારે મતદાન કરવા આવે છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પૂરતી તકેદારી લેવાઇ રહી છે. મતદાન કરવા માટે આવનાર મતદાતાઓને પણ કોઇપણ પ્રકારનો ડર રાખવાની જરૂર ન હોવાનું બેઠક દરમિયાન જણાવાયું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને મતદાન કરતી વખતે હેન્ડ ગ્લોઝ, સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને ફેશસીલ્ડ, હેન્ડ ગ્લોઝ, સેનેટાઇઝર તેમજ માસ્ક સહિતની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ બેઠકમાં એક્ષ્પેન્ડીચર અને મોનીટરીંગ, મેનપાવર મેનેજમેન્ટ, લો એન્ડ ઓર્ડર, એમ.સી.સી., ઈ.વી.એમ.-વી.વી.પેટ મેનેજમેન્ટ, એમ.સી.એમ.સી. ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મટીરીયલ્સ મેનેજમેન્ટ, બેલેટ પેપર, સ્વીપ સહિતની વિવિધ કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી જનરલ ઓબઝર્વરશ્રી ડૉ. હરીઓમ તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.બી. પટેલ દ્વારા માર્ગદર્શન પૂરુ પાડી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નોડેલ અધિકારી ખર્ચ મોનીટરીંગના પી.જે. ભગદેવ, જિલ્લા અધિક કલેક્ટરશ્રી અને મેન પાવર મેનેજમેન્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થાના નોડેલ અધિકારીશ્રી કેતન પી. જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને આચારસંહિતાના નોડેલ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટના નોડેલ અધિકારીશ્રી જે.કે.કાપટેલ, ટ્રેનીંગ મેનેજમેન્ટના નોડેલ અધિકારીશ્રી બી.એમ. સોલંકી, બેલેટ પેપરના નોડેલ અધિકારીશ્રી એ.એન. ચૌધરી, સહાયક માહિતી નિયામક અને મીડિયાના નોડેલ અધિકારીશ્રી ઘનશ્યામ પેડવા, હેલ્પલાઇન તથા ફરિયાદના નોડેલ અધિકારીશ્રી આર.આર. શાહ, વેલફેરના નોડેલ અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, દિવ્યાંગ મતદારોના નોડેલ અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા, સ્થળાંતરીત મતદારોના નોડેલ અધિકારીશ્રી ડી.જે. મહેતા સહિતના નોડેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અંતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા જનરલ ઓબઝર્વર દ્વારા અપાયેલ સુચનાઓનો ત્વરીત અમલ કરવા સુચના આપી હતી. આ સાથે જ જનરલ ઓબઝર્વરશ્રી ડૉ. હરીઓમનો માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરતાં નાયબ મામલતદારશ્રીઓ એચ.સી મેરજા અને એમ.એલ.નકુમ દ્વારા બેઠકની કામગીરી સંભાળવામાં આવી હતી.