Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsGovtGujaratIndiaOtherPoliticalPolitical

મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી વર્ષોથી ભરૂચના અંકલેશ્વર તરફના નર્મદા નદીના કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીનોનું ધોવાણ અટકાવવા જે તે સબંધિત વિભાગને કાર્યવાહી કરવા સી.એમ વિજય રૂપાણીએ આપી સૂચના 

ભરત ચુડાસમા : રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વર સિંહ પટેલને પત્ર લખી સી.એમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું : વિભાગ દ્વારા ત્વરિત અસર થી કામગીરી કરાય તેવી સૂચના થી ગ્રામજનોની અને ખેડૂતોની મહામૂલી જમીન ધોવાણ અટકવા ની આશા જીવંત બની.

અંકલેશ્વર ના નર્મદા કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીન ધોવાણ અટકવા સબંધિત વિભાગ કાર્યવાહી કરવા સી.એમની સૂચના આપવામાં આવી છે. રાજ્ય ના સહકાર મંત્રીને પત્ર લખી સી.એમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. વિભાગ દ્વારા ત્વરિત અસર થી કામગીરી કરાય તેવી સૂચના થી ગ્રામજનો જમીન ધોવાણ અટકવા ની આશા જીવંત બની છે.

નર્મદા નદી માં આવેલ પૂર માં અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તાર માં ગોલ્ડન બ્રિજ થી લઇ કોયલી -ધંતુરીયા સુધી માં હજારો એકર જમીનનું ચાલુ વર્ષે ધોવાણ થયું છે. એટલુંજ નાની બોરભાઠા બેટ પાસે 5 વર્ષ પૂર્વે બનાવેલ ગેબીયન વોલ ના પથ્થરો પણ જમીન માં ગરક થઇ જતા ત્યાં ફરી જમીન ધોવાણ શરૂ થયું છે. જે ને લઇ બોરભાઠા ગામ ના અસ્થિત્વ સામે ખતરો ઉભો થયો છે તો સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર અલ્લુ વિસ્તાર માં પણ પથ્થરો ની ગેબીયન વોલ તૂટી જતા રોડ સુધી ધોવાણ આવી ગયું છે જે ગામ ને ગમેત્યારે માર્ગ વ્યવહાર થી વિખૂટું પાડી શકે છે. આ અંગે સ્થાનિક ખેડૂતો ની રજુઆત ને લઇ રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ રાજ્ય ના સી.એમ ને લેખિત રજૂઆત કરી હતી. જે અંગે વંદે ગુજરાત ન્યૂઝ ને મળતી માહિતી અનુસાર 17 મી ઓક્ટોબર ના રોજ રાજ્ય ના સી.એમ વિજય રૂપાણીએ ભારભૂત બેરેજ યોજના હેઠળ આવતા અંકલેશ્વર તરફ ના ડાબા બાજુના પૂર રક્ષણ પાળા ની કામગીરી વહેલી ટકે પૂર્ણ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા સબંધિત વિભાગ ના સચિવ જળસંપત્તિ, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ને તાકીદ કરી કામગીરી ત્વરિત અસર થી કરવા તાકીદ કરી હતી. જે અંગે પત્ર રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને જાણ કરવા મોકલી આપવામાં આવ્યો હતો. સી.એમ વિજય રૂપાણી દ્વારા જમીન અટકાવા માટે કરવામાં આવેલ તાકીદ થી સ્થાનિક ખેડૂતો ના જમીન ધોવાણ અટકશે તેવી નવી આશાનો સંચાર થયો છે. અને વહેલી ટકે આ કામગીરી શરૂ થાય તેવી આશા સાથે મીટ માંડી છે.

संबंधित पोस्ट

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત, માનહાનીના કેસમાં કોર્ટમાં થશે હાજર

Admin

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનસીસી કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

Vande Gujarat News

गुजरात में योगी बोले, कांग्रेस को यूपी की 403 में से 2 सीटें मिलीं, राम नाम सत्य के लिए भी 4 लोगों की जरूरत

Vande Gujarat News

चर्चा में मोदी की पगड़ी:प्रधानमंत्री नरेंद्र मोदी ने जामनगर के शाही परिवार की भेंट की हुई पगड़ी पहनी, जानिए क्यों हैं ये इतनी खास

Vande Gujarat News

વિપક્ષની ઉગ્ર રજૂઆત : ભરૂચ નગર પાલિકામાં ત્રણ મહિનાથી 12 કરોડની ગ્રાન્ટ જમા હોવા છતા કામો ન થતા હોવા ની રાવ

Vande Gujarat News

જબુંસર તાલુકાના મહાપરા ગામેથી માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડતું ખાણખનિજ વિભાગ, બે જેસીબી અને 12 ટ્રેક્ટર કબજે લીધા

Vande Gujarat News