Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsGovtGujaratIndiaOtherPoliticalPolitical

મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી વર્ષોથી ભરૂચના અંકલેશ્વર તરફના નર્મદા નદીના કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીનોનું ધોવાણ અટકાવવા જે તે સબંધિત વિભાગને કાર્યવાહી કરવા સી.એમ વિજય રૂપાણીએ આપી સૂચના 

ભરત ચુડાસમા : રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વર સિંહ પટેલને પત્ર લખી સી.એમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું : વિભાગ દ્વારા ત્વરિત અસર થી કામગીરી કરાય તેવી સૂચના થી ગ્રામજનોની અને ખેડૂતોની મહામૂલી જમીન ધોવાણ અટકવા ની આશા જીવંત બની.

અંકલેશ્વર ના નર્મદા કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીન ધોવાણ અટકવા સબંધિત વિભાગ કાર્યવાહી કરવા સી.એમની સૂચના આપવામાં આવી છે. રાજ્ય ના સહકાર મંત્રીને પત્ર લખી સી.એમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. વિભાગ દ્વારા ત્વરિત અસર થી કામગીરી કરાય તેવી સૂચના થી ગ્રામજનો જમીન ધોવાણ અટકવા ની આશા જીવંત બની છે.

નર્મદા નદી માં આવેલ પૂર માં અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તાર માં ગોલ્ડન બ્રિજ થી લઇ કોયલી -ધંતુરીયા સુધી માં હજારો એકર જમીનનું ચાલુ વર્ષે ધોવાણ થયું છે. એટલુંજ નાની બોરભાઠા બેટ પાસે 5 વર્ષ પૂર્વે બનાવેલ ગેબીયન વોલ ના પથ્થરો પણ જમીન માં ગરક થઇ જતા ત્યાં ફરી જમીન ધોવાણ શરૂ થયું છે. જે ને લઇ બોરભાઠા ગામ ના અસ્થિત્વ સામે ખતરો ઉભો થયો છે તો સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર અલ્લુ વિસ્તાર માં પણ પથ્થરો ની ગેબીયન વોલ તૂટી જતા રોડ સુધી ધોવાણ આવી ગયું છે જે ગામ ને ગમેત્યારે માર્ગ વ્યવહાર થી વિખૂટું પાડી શકે છે. આ અંગે સ્થાનિક ખેડૂતો ની રજુઆત ને લઇ રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ રાજ્ય ના સી.એમ ને લેખિત રજૂઆત કરી હતી. જે અંગે વંદે ગુજરાત ન્યૂઝ ને મળતી માહિતી અનુસાર 17 મી ઓક્ટોબર ના રોજ રાજ્ય ના સી.એમ વિજય રૂપાણીએ ભારભૂત બેરેજ યોજના હેઠળ આવતા અંકલેશ્વર તરફ ના ડાબા બાજુના પૂર રક્ષણ પાળા ની કામગીરી વહેલી ટકે પૂર્ણ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા સબંધિત વિભાગ ના સચિવ જળસંપત્તિ, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ને તાકીદ કરી કામગીરી ત્વરિત અસર થી કરવા તાકીદ કરી હતી. જે અંગે પત્ર રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને જાણ કરવા મોકલી આપવામાં આવ્યો હતો. સી.એમ વિજય રૂપાણી દ્વારા જમીન અટકાવા માટે કરવામાં આવેલ તાકીદ થી સ્થાનિક ખેડૂતો ના જમીન ધોવાણ અટકશે તેવી નવી આશાનો સંચાર થયો છે. અને વહેલી ટકે આ કામગીરી શરૂ થાય તેવી આશા સાથે મીટ માંડી છે.

संबंधित पोस्ट

ચૂંટણી પંચ આજે કરશે પ્રેસ કોન્ફરન્સ, કરી શકે છે ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડની ચૂંટણીની તારીખો જાહેર

Admin

કરજણ બેઠકની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, ભાજપાના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા નો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

Vande Gujarat News

UP में नई गाइडलाइन:10 साल से पहले सरकारी नौकरी छोड़ने वाले डॉक्टरों पर होगा 1 करोड़ का जुर्माना, सरकार बोली- 3 साल पुराना है आदेश

Vande Gujarat News

પીએમ નરેન્દ્ર મોદીનો રોજગાર મેળો નીતીશજી, તેજસ્વીજીની અસર…”: આરજેડી સાંસદ મનોજ ઝા

Vande Gujarat News

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાની આખરી એક્ઝિટ

Vande Gujarat News

મહેસાણા: પતંગના પેચ લગાવવા મુદ્દે ઝઘડો થયો, પાંચ યુવકે વૃદ્ધ પર હુમલો કરતા મોત

Admin