Vande Gujarat News
Breaking News
BharuchNature

ભરૂચના પ્રકૃતિ પ્રેમી પરિવારે ઘર આંગણે જ આયુર્વેદિક છોડનો બગીચો બનાવ્યો, 500 સ્ક્વેર ફૂટમાં 200 જેટલા નાના મોટાં છોડ ઉછેર્યા

ભરૂચ શહેરના પ્રકૃતિના પ્રેમી દંપત્તિ એ પોતાના ઘરમાં જ વન વગડાનું સર્જન કર્યું છે. તેમણે તેમના મકાનમાં અંદાજીત 500 સ્ક્વેર ફુટના એરિયામાં 60 જેટલા આયુર્વેદિક અને 150 જેટલા સુશોભિત રોપાનું વાવેતર કરીને ઘરને વગડો બનાવ્યો છે. ભરૂચના પાંચબત્તી વિસ્તાર નજીક આવેલા અંકુર બગ્લોઝમાં રહેતા પ્રકૃતિના પ્રેમી રોબર્ટ પરમાર અને તેમના પત્ની સવિતા પરમારે પોતાના ઘરમાં વન વગડાંનું સર્જન કર્યું છે. તેઓ 1995 થી વનવગડાનું સર્જન કરી રહ્યા છે. જેમાં ઘરના કંપાઉન્ડમાં જ અંદાજીત 500 જેટલા સ્કવેર ફૂટ એરિયામાં આયુર્વેદિક સહિત રોપાનું વાવેતર કર્યું હતું.

સમય જતાં રોપાઓનો વિસ્તાર વધતા રોબર્ટ પરિવારેએ જગ્યાનું નામકરણ કર્યું અને આ તેમના એરિયાને તેમણે વન વગડો નામ આપ્યું હતું. જેમાં હાલ 60 જેટલા રોપા થયા છે. 120 જેટલા અલગ અલગ વેરાયટીના સુશોભીત રોપાઓનું વાવેતર કર્યું છે. સવિતા પરમારના જણાવ્યા અનુસાર આ વન વગડામાં ઉછરી રહેલા અલભ્ય આયુર્વેદિક રોપાઓમાં પરદેશી ભાંગરો,દૂધી-આયુર્વેદિક રોપાલગાવ્યા છે.

આ રોપા લોકો માટે જડીબુટ્ટીનું કામ કરે છે
મને અને મારા પત્નીને પહેલાથી જ વન વગડાનો ઘણો જ શોખ હતો. પહેલાં અમારી પાસે નાનું ઘર હતું છતાં તેના ધાબા ઉપર માટી પુરાવી રોપાઓનું વાવેતર કર્યું હતું. હવે અમારી પાસે મોટું ઘર છે. અંદાજીત 500 સ્કવેર ફૂટ એરિયામાં આયુર્વેદીક રોપાનું વાવેતર કરીને તેની દેખ રેખ કરી રહ્યાં છે. અમારી પાસેથી ઘણાં લોકો આયુર્વેદિક ઉપચાર માટે રોપા પણ લઇ જાય છે. જે જડીબુટ્ટીનું કામ કરે છે.> રોબર્ટ પરમાર,પર્યાવરણ પ્રેમી,ભરૂચ

संबंधित पोस्ट

यूपी: विंध्यवासियों को सौगात, पीएम मोदी करेंगे करोड़ों की जल परियोजना का शिलान्यास

Vande Gujarat News

કેવડિયાની 600 એકર પથરાળ જમીનમાં ખીલ્યાં 112 પ્રજાતિનાં 14 લાખથી વધુ ફૂલ

Vande Gujarat News

તવરા ગામમાં વાનરે બાળકને બચકા ભર્યા, શરીરના ભાગે 8 ટાંકા આવ્યા

Vande Gujarat News

राज्य पर्यटन विभाग ‘केवल कच्छ नहीं, केवड़िया भी’ की थीम पर बनाएगा नई विज्ञापन फिल्म

Vande Gujarat News

વિશ્વ ચકલી દિવસ : ઘરના પક્ષી તરીકે જાણીતું અને માનીતું બનેલું રૂપકડું પક્ષી એટલે ચકલી, ઘરની દીવાલોમાં બર્ડ બ્રિક (નાનું બખોલ) બનાવી નામશેષ થઈ રહેલી ચકલીને જોવાનો અવસર કેળવી શકાશે

Vande Gujarat News

ભરૂચ-અંક્લેશ્વરની ચાર લેબમાં હવે થશે એન્ટીબોડી ટેસ્ટ : જીઆઈડીસીમાં કામ કરવા આવતાં પરપ્રાંતિય શ્રમિકોનું સ્ક્રિનિંગ થઈ શકશે.

Vande Gujarat News