Vande Gujarat News
Breaking News
BharuchGujarat

પિતાની ચિતાને અગ્નિદાહ આપી પુત્રીએ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી

ભરૂચની ટેક્નિકલ હાઇસ્કૂલમાંથી વયનિવૃત્ત થયેલાં શિક્ષકનું કુદરતી મોત થતાં. તેમના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની એકમાત્ર પુત્રીએ જ તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. ભરૂચની અમીધરા ટાઉનશીપ ખાતે રહેતાં અનેે ટેેક્નિકલ હાઇસ્કૂલમાંથી વય નિવૃત્ત થયેલાં શિક્ષક હરીશ વૈન્કટરામન ઐયરનું કુદરતી રીતે મોત થતાં પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયાં હતાં.

તેમને સંતાનમાં માત્ર એક જ પુત્રી હતી જૈસમા. એેકમાત્ર સંતાન હોઇ પરિવારે તેેને એક પુત્રની જેમ રાખી હતી અને તેને એમએસસીનો અભ્યાસ કરાવ્યો હતો. દરમિયાનમાં હરીશ ઐયરે તેમની પુત્રીને પુત્રની જેમ રાખી હોઇ તેમના મૃત્યુબાદ તેેમની ચિતાને તે જ અગ્નિદાહ આપશેે તેમ જણાવ્યું હતું. અરસામાં તેમનું મોત થતાં તેેમના દેહને ભરૂચ દશાશ્વમેઘ ઘાટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની ચિતાને પુત્રી જૈસમાએ જ અગ્નિદાહ આપી અન્ય ધાર્મિક વિધીઓ પુર્ણ કરી હતી.

संबंधित पोस्ट

કામરેજ ખાતે રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને મહિલા સશક્તિકરણ અર્થે કાયદાકીય શિબિર યોજાઈ

Vande Gujarat News

રાજયના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભો સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા : CM

Vande Gujarat News

ભરૂચમાં હિંસક હુમલા બાદ વકીલનું મોતના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, 2 દિવસ પહેલા દલિત સમાજે કાર્યવાહીની માંગ કરી હતી

Vande Gujarat News

રો-રો પેક્સ:હજીરાથી ગોવા, મુંબઇ, દીવ, દ્વારકા અને પીપાવાવ પણ જઇ શકાશે, જળમાર્ગ આપણી નવી તાકાત

Vande Gujarat News

GTUની પરીક્ષા આયોજન:કો-ઓર્ડિનેટરની ફિંગરપ્રિન્ટથી જ અડધો કલાક પહેલાં પેપર ખૂલશે, GTUમાં પેપર લીક ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવી

Vande Gujarat News

તળાજા માં આખલા ઓ નો આંતક યથાવત્ રહેતા લોકો ત્રાહિ મમ

Vande Gujarat News