Vande Gujarat News
Breaking News
BharuchBJPBloggerBreaking NewsDharmGujaratIndiaOther

ભરૂચમાં શ્વાન (કુતરાઓ) ક્યાં કરે છે માતાજીની આરતી ? આસ્થા, શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે, ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે.

ભરૂચના કોઠીરોડ ખાતે આવેલા અંબાજી મંદિરમાં આજે પણ નિત્યક્રમ આરતીના સમયે સવાર સાંજ શ્વાનો આવી માતાજીની આરતી કરે છે.

ધર્મેશ સોલંકી – આસ્થા અને શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે. માતાજીની આરતી માં જવાની આજની પેઢી હવે શરમ સંકોચ અનુભવે છે, ત્યાં આ શ્વાન કંઈક અલગ જ અંદાજમાં અને પોતાના અવાજમાં આજની પેઢીને ધર્મ માટે સજાગ, જાગૃત અને એકતા સ્થાપવાનો સંદેશો પાઠવે છે. ખરેખર દંડવત પ્રણામ છે અહીંના સ્થાનિકોને…

ભરૂચ ના કોઠીરોડ વાલ્મિકી વાસ ખાતે આવેલ અંબાજીમાતા ના મંદિરે સવાર સાંજ આરતી ના સમયે શ્વાનોનું એક ઝુંડ રોજ આરતી માં હાજરી આપી પોતાના અવાજ માં અંબાજી માતા ની આરતી ગાતા નજરે પડે છે. હા આ એક સત્ય ઘટના છે. આરતી પેહલા માતાજીના ગરબા તેમજ ભજન કિર્તન મ્યુઝિક સિસ્ટમ પર થતા હોય છે. પરંતુ તે સમયે એક પણ શ્વાનો ત્યાં હાજર હોતા નથી. પણ જ્યારેે માતાજી ની આરતી શરૂ થાય, કે ઘંટારવ સંભળાઇ ત્યારે ગમેે પરંતુ બધા શ્વાનો ભાગી ને માતાજી ની આરતી માં હાજરી આપે છે, અને પોતાના અવાજમાં અંબાજી માતાની આરતી ગાતા નજરે પડેે છે. આરતી પુરી થયા બાદ આ શ્વાનો માતાજી નો પ્રસાદ લઈ પછી જ મંદિર પાસે થી દૂર જતા હોય છે.

મંદિર ના પૂજારી બચુ ભાઈ એ જણાવેલ કે અમારા બાપ દાદા ઓ દ્વારા આ મંદિર નું નિર્માણ થયેલ. અહીં દૂર દૂર થી લોકો માતાજી ના દર્શન અને બાધા આંખડી લેવા આવતા હોય છે. શ્વાનોની આરતી માં હાજરી અને તેમના અવાજ માં આરતી ગાવાનું પૂછતા તેમણે જણાવેલ કે, આ શ્વાનો વર્ષો થી અંબાજી માતાની આરતી ના સમયે હાજરી આપી પોતાના અવાજ માં આરતી કરે છે. આ શ્વાનો તેમની પીઢી દર પીઢી થી અહીં આરતી માં હાજરી આપે છે.

संबंधित पोस्ट

કૃષિ આંદોલન મુદ્દે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલે કહ્યું ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા કોઈ નહીં રોકી શકે, સરકાર મારાથી ધરપકડની શરૂઆત કરે

Vande Gujarat News

गाजियाबाद हादसे में अब तक 25 लोगों की मौत, ठेकेदार और नगरपालिका अफसरों पर FIR

Vande Gujarat News

નશાબંધી નીતિના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ..રાજ્યમાં બુટલેગરોની શાન ઠેકાણે લાવવા ગુજરાત સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Vande Gujarat News

આ ફેમસ બ્રાન્ડ આખી જીંદગી ફ્રીમાં સેન્ડવીચ ખવડાવશે, નાની શરત પૂરી કરવી પડશે!

Vande Gujarat News

વાઘોડિયા તાલુકાના કછાટીયાપુરા પ્રા શાળાના વિદ્યાર્થીઓ વરસાદમાં શાળાના વર્ગખંડની બહાર અભ્યાસ લઈ રહ્યા છે.

Vande Gujarat News

પત્ની સાથે સંબંધના વ્હેમે પતિએ હત્યા કરી યુવકની લાશને ઝાડ પર લટકાવી, ઝઘડિયાના દુ:માલપોર ગામે બનેલી ઘટના, મૃતકના પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો

Vande Gujarat News