Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsGujaratHealthLifestyle

સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરતાં લોકોએ ખાસ વાંચવા જેવુ – 40 વર્ષના યુવકના મોં અને નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું

  • મગજ-આંખને જોડતાં ચેતાતંતુ ડેડ : 10 હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા પરંતુ દૃષ્ટિ પાછી ન મળી
  • સેનિટાઈઝરમાં 70% ઈથેનોલ હોય તો જોખમી બની શકે છે

40 વર્ષના ચેતન પટેલને એકાએક બંને આખે દેખાતું બંધ થઈ ગયું. MRI તેમજ આંખના પડદાના રિપોર્ટ નોર્મલ હોવા છતાં રોશની ચાલી ગઈ. સેનિટાઈઝર મોં અને નાકમાં જવાને કારણે તેમના મગજ અને આંખને જોડતાં ચેતાતંતુ સંપૂર્ણપણે ડેડ થઈ જતા દૃષ્ટિ જતી રહી છે.

રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાએ જણાવ્યું હતું કે, મહુડી પાસે આવેલા પુન્દ્રા ગામના ચેતન પટેલ એક સેનિટાઈઝર કંપનીમાં કામ કરે છે. કંડલા ખાતેથી કંપનીમાં સેનિટાઈઝરનું ટેન્કર આવ્યું હતું. તે બેરલમાં ઠાલવી સલામત સ્થળે ખસેડી રહ્યા હતા ત્યારે એક બેરલ લીક થતાં સેનિટાઈઝર ઉંડી તેમના નાક અને મોંમાં ગયું હતું. 8થી10 હોસ્પિટલ ફર્યા પછી ચેતન પટેલ અમારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું, સેનિટાઈઝર ઉડ્યા પછી તેમણે મોં સાફ કરી નાખ્યું હતું. તેમણે વિસનગર, મહેસાણા, વિજાપુર અને અમદાવાદની બે હોસ્પિટલમાં 10 દિવસ સારવાર કરાવી. અમારી હોસ્પિટલમાં આવ્યા પછી અમે બંને આંખના પડદાનો રિપોર્ટ અને ઓસીટી કરાવ્યા તો તે પણ નોર્મલ આવ્યા. હાલ તેમની આંખની નસ સફેદ થવા લાગી છે. તેના પરથી કહી શકાય કે મગજ-આંખને જોડતાં ચેતાતંતુ ડેડ થઈ ગયા છે માટે દૃષ્ટિ જતી રહી છે.

હાથ સેનિટાઈઝ કરીને જમવું પણ જોખમી છે
ડો.પાર્થ રાણાએ કહ્યું કે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મોં પર અને ખોરાકમાં જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. જે સેનિટાઈઝરમાં 70 ટકા ઈથેનોલ હોય તે જોખમી બની શકે છે. ઈથેનોલના વધુ પ્રમાણને કારણે આંખની નસને નુકસાન થાય છે. ઘણી રેસ્ટોરાં કે ફુડ આઉટલેટ પર લોકો હાથ સેનિટાઈઝ કરીને જમતા હોય છે. જે ખૂબ નુકસાનકારક છે.

તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા
આંખો ગુમાવનાર ચેતન પટેલે ‘દિવ્ય ભાસ્કર’સાથેની વાતચીતમાં કહ્યું કે, સેનિટાઈઝરનું બેરલ લીક થતાં તે ઉડ્યું હતું અને આંખ-મોંમાં ગયું હતું. બેથી ત્રણ દિવસ બાદ આંખોનું વિઝન બિલકુલ જતુ રહ્યું હતું. તમામ પ્રકારના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.

 

 

 

संबंधित पोस्ट

દુનિયામાં ભારતીય શસ્ત્રોની તાકાત, ફિલિપાઈન્સ બાદ હવે આ દેશ ભારતની બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

Vande Gujarat News

મુસાફરોનો ધસારો જોતા નિર્ણય:કેવડિયા લાઇનના લોકાર્પણ પૂર્વે રૂટ પર 2 ટ્રેનો વધારાઇ, રોજ 1.20 લાખ પ્રવાસી આવવાનો અંદાજ

Vande Gujarat News

ગુજરાતના નવા મંત્રીઓના વિભાગોની ફાળવણી કરવામાં આવી. . . .

Vande Gujarat News

સુરતમાં કોરોનાને હરાવતા બે કિસ્સા:ચેન્નઈમાં સારવાર બાદ સુરતના ડો. સંકિત ઘરે પરત ફર્યા, 97 દિવસે સાજા થનાર દર્દીની પત્નીએ તબીબને કહ્યું, ‘તમે જ ભગવાન છો’

Vande Gujarat News

વડોદરા: સયાજીગંજમાં યુવક એક્ટિવા પર નોકરીથી ઘરે જતો હતો, સિટી બસે ટક્કર મારતા નીચે પટકાયો, ટાયર ફરી વળતા થયું કરૂણ મોત

Admin

તાપીના શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ 10,00,000/- રૂપિયાની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયા, સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા બાબતે માંગી હતી લાંચ.

Vande Gujarat News