Vande Gujarat News
Breaking News
Breaking NewsEducationalIndiaLifestyleNationalScience

હરિયાણાના શિક્ષક પિતાએ છ દીકરીઓને સાયન્ટિસ્ટ બનાવી, ‘મ્હારી છોરીયાઁ છોરો સે ભી બઢકર હૈ’ : છ એ છ દીકરીઓને પીએચડી સુધીનો અભ્યાસ કરાવ્યો

– ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ અને શક્તિની ઉપાસનાનું પ્રેરક ઉદાહરણ

– જગદેવ દહિયાની છમાંથી ચાર દીકરીઓ વિદેશમાં સંશોધનો કરે છે, બે સ્વદેશી સંસ્થાનોમાં કાર્યરત

હરિયાણાના સોનિપત નજીકના નાનકડાં ગામ ભદાના શિક્ષકે છ દીકરીઓને ભણાવીને વિજ્ઞાાની બનાવી છે. છએ છ દીકરીઓએ પીએચડી સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. એમાંથી ચાર વિદેશમાં રહીને સંશોધનો કરી રહી છે, બે દીકરીઓ ભારતમાં સંશોધનો કરી રહી  છે. આ શિક્ષકે ખરા આૃર્થમાં શક્તિ ઉપાસનાનું પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડયું છે.

હરિયાણાના શિક્ષક જગદેવ દહિયા નવરાત્રિ દરમિયાન તેમની છએ છ પુત્રીઓને દૂર્ગા સ્વરૂપ માને છે. સોનિપત નજીકના ગામ ભદાનાની પ્રાથમિક શાળામાં શિક્ષક એવા જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવી-ગણાવીને સાયન્ટિસ્ટ્સ બનાવી છે. દીકરીઓની સફળતાથી પ્રફુલ્લિત જગદેવ દહિયા કહે છે: મ્હારી છોરીયાઁ છોરો સે બઢકર હૈ.

જગદેવ દહિયાને સંતાનોમાં છ દીકરીઓ અને એક દીકરો છે. એક તરફ બેટીઓને બોજ માનવાની માનસિકતા છે ત્યારે જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવીને વૈજ્ઞાાનિક બનાવી છે. બધી જ દીકરીઓને સોનિપતની ગર્લ્સ કોલેજમાં ભણાવ્યા પછી હિંદુ કોલેજમાંથી બીએસસી કરાવ્યું હતું.

એ પછી આગળનો અભ્યાસ કરવા એક પછી એક બધી જ બહેનો ચંદીગઢ ગઈ હતી અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો. જગદેવ દહિયા કહે છે: દીકરીઓમાંથી ડૉ. સંગીતા ફિજિશ્યન છે. ડૉ. મોનિકા અને ડ. નીતુ બાયોટેક્નોલોજિસ્ટ છે, ડૉ. કલ્પના, ડૉ. ડૈની અને સૌથી નાની દીકરી ડૉ. રૂચિ ગણિતમાં એમએસસી પીએચડી છે. એ બધી જ દીકરીઓ પોત-પોતાના ક્ષેત્રમાં સંશોધનો કરી રહી છે.

સૌથી મોટી દીકરી સંગીતા સોનિપતની કોલેજમાં પ્રોફેસર છે, ડૉ. કલ્પના પંજાબ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે સિવાયની ચાર દીકરીઓ વિદેશની પ્રતિષ્ઠિત સંસૃથાનોમાં સંશોધનો કરી રહી છે. એક દીકરી કેનેડામાં સંશોધન ક્ષેત્રે કાર્યરત છે અને ત્રણ દીકરીઓ અમેરિકન ઈન્સ્ટિટયૂટ્સમાં કાર્યરત છે.

જગદેવ દહિયાએ કહ્યું હતું કે તેમણે હંમેશા દીકરીઓને શક્તિ સ્વરૂપા ગણી છે. દીકરો પણ એમબીએ થઈને બિઝનેસ કરી રહ્યો છે. બધા જ સંતાનોને સારી રીતે ભણાવ્યા હોવાનું પતિ-પત્ની જગદેવ અને ઓમવતી દેવીને બેહદ ગૌરવ છે. આ દંપતી કહે છે: અમારી દીકરીઓને અમે સાક્ષાત દેવીઓ જ માનીએ છીએ.

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા અંકલેશ્વરમાં યોજાયેલા આયુષ મેળોનો નગરજનોએ લાભ લીધો, આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા અને પંચકર્મ ચિકિત્સા સહિતનો લોકોએ લાભ મેળવ્યો

Vande Gujarat News

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ના ચેકીંગ કરવા માટે બે ટીમ બનાવવામાં આવી

Vande Gujarat News

ભરૂચમાં કોરોના વેક્સિનેશનની શુભ શરૂઆત:પ્રથમ તબક્કમાં 300 ફ્રન્ટ લાઇન વોરિયર્સ પૈકી 159ને‘કોવી શિલ્ડ’

Vande Gujarat News

कोरोना कालः सदी की सबसे दर्दनाक दूरियां, असहाय मौतें और अधूरी अंतिम यात्राएं

Vande Gujarat News

अब मुश्किल में आया आतंकिस्तान, बैन के मुहाने पर पहुंचा पाकिस्तान

Vande Gujarat News

अहमदाबाद में रात्रि कर्फ्यू का ऐलान, रात 9 बजे से सुबह 6 बजे तक रहेगा कर्फ्यू अहमदाबाद में कोरोना वायरस के मामले ज्यादा सामने आने के बाद प्रशासन ने रात्रि कर्फ्यू को फिर से लागू करने का फैसला लिया है। यह नया फैसला कल यानि 20 नवंबर से लागू हो जाएगा और अगले आदेश तक लागू रहेगा।

Vande Gujarat News