Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsSocialVadodara

વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં 1.35 લાખ ચોરસ ફૂટ જમીનમાં 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-૨૦૨૬ હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો

વિશ્વ પાટીદાર સમાજ આયોજિત સરદારધામ મધ્ય ગુજરાત પ્રોજેકટનાં શુભારંભ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વડોદરા આવ્યા. વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં 1.35 લાખ ચોરસ ફૂટ જમીનમાં 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-૨૦૨૬ હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.

મધ્ય ગુજરાત પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત વડોદરાનાં મેયર, સાંસદ, ધારાસભ્યો તેમજ મુખ્ય દાતાઓ ઉપસ્થિતિમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટીદાર સમાજદ્વારા વિવિધ પ્રોજેકટની શુભારંભ તેમજ તકતીનું અનાવરણ કર્યું. કોવિડ 19ની સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ઉપરાંત થર્મલગનથી સ્વાથ્ય ચકાસણી સહિત સેનેટાઈઝરની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરામાં 1.35 લાખ ચોરસ ફૂટ જમીન પર આકાર લેનારા સરદાર ધામ-મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયાં હતાં. એકસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરાશે અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને રૂ.૫૦ કરોડની જમીન કપાતમાં રાહત આપી. તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં સરકાર સમાજ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહે છે તેમ જણાવ્યું.

ઉપરાંત કોરોના કાળમાં રાજયની વિકાસ યાત્રા ચેતનવંતી રાખી રૂ.૧૩,૦૦૦ કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી આગળ ધપાવ્યા છે. ફેબ્રુઆરી માસ સુધી માં કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ કોરોનાથી બચાવનો વિકલ્પ હોવાનું જણાવ્યું. છે. ગરબાનું ન યોજવાના સરકારના નિર્ણયને ટેકો આપવા માટે રાજ્યની પ્રજાનો આભાર માન્યો.


ગુજરાતની સંવેદનશીલ રાજય સરકાર એકમાત્ર વિકાસના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ જ આપણો મંત્ર છે…

संबंधित पोस्ट

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૧૪મી ઓગષ્ટ ભારતના ભાગલાના બિહામણા દ્રશ્યો અંગેની યાદોનું પ્રદર્શન યોજાયું

Vande Gujarat News

श्री बांके बिहारी कॉरिडोर के विरोध में ब्रजवासियो ने मुख्यमंत्री योगी को लिखा अपने खून से पत्र

Admin

ગુજરાતમાં પણ લવ જેહાદ ઉપર કડકમાં કડક કાયદો બનાવવા મુખ્યમંત્રીશ્રીને સાંસદ મનસુખભાઇ વસાવાએ કરી રજુઆત

Vande Gujarat News

ભરૂચમાં પ્રાથમિક શિક્ષકોના વધઘટ બદલી કેમ્પમાં DPEOની મનમાની

Vande Gujarat News

વડોદરા મહાનગર પાલિકાનાં કમિશ્નરે માસ્ક પહેરવા,સાબુથી વારંવાર હાથ ધોવા,સેનેટાઈઝ કરવા અને 6 ફૂટનું અંતર જાળવવા માટેનાં શપથ લેવડાવ્યા.

Vande Gujarat News

ચીનમાં 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતાં ડબાના ભાવમાં રૂ.350નો વધારો થયો, સિંગતેલના ભાવમાં ભડકો:ડબાનો ભાવ 2500ને પાર

Vande Gujarat News