Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsIndiaNationalPolitical

ચીન-પાકે. હડપેલી એક એક ઇંચ જમીન પરત લઇશું : કાશ્મીર ભાજપ પ્રમુખ – જમ્મુ-કાશ્મીરના ભારતમાં ભળવાના અવસરના માનમાં તિરંગા યાત્રા યોજાઇ

તિરંગાનું અપમાન કરનારા મેહબૂબા મુફ્તિના પક્ષના કાર્યાલય પર જઇ તિરંગો લહેરાવ્યો, ત્રણ નેતાઓએ પીડીપી છોડી

શ્રીનગર,

જમ્મુ કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ચીને ભારતની જેટલી પણ જમીન પચાવી પાડી છે તેને પરત લેવામાં આવશે. એક એક ઇંચ જમીન ભારત પરત લેશે. સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તિ પર તિરંગા વિવાદ મુદ્દે પણ પ્રહારો કર્યા હતા.

રૈનાએ કહ્યું હતું કે મેહબૂબા મુફ્તિ જેવા નેતાઓ તિરંગાનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે. જો તેઓએ ખરેખર ભારતમાં રહેવું હોય તો તિરંગાનું સન્માન કરવું જ પડશે. સાથે જ ભાજપે જમ્મુ કાશ્મીરમાં તિરંગા રેલી પણ કાઢી હતી.

આજની તારીખે 1947માં મહારાજા હરીસિંહે સંપૂર્ણ જમ્મુ કાશ્મીરને ભારતમાં ભેલવી દીધુ હતું, જેને પગલે 26મી ઓક્ટોબરે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે આ જ સમય દરમિયાન પાકિસ્તાને કાશ્મીરમાં હુમલા કર્યા અને કેટલીક જમીન પચાવી પાડી હતી. જ્યારે ચીન સાથેના યુદ્ધ દરમિયાન પણ સરહદે મોટો ભાગ ચીને પચાવી પાડયો હતો.

બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ભાજપ કાર્યકર્તાઓની શ્રીનગરમાં અટકાયત કરાઇ હતી, જેને પગલે લાલ ચોક પર તિરંગો નહોતો ફરકાવી શક્યા. જેને પગલે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ પીડીપીના કાર્યાલય પર જઇને તિરંગો ફરકાવી દીધો હતો.

પીડીપી નેતા મેહબૂબાએ કહ્યું હતું કે હું જ્યાં સુધી કાશ્મીરનો અલગ ધ્વજ નહીં મળે ત્યાં સુધી તિરંગો નહીં ફરકાવું કે હાથમાં પણ નહીં લઉ, તેમના આ નિવેદનના વિરોધમાં કાશ્મીરમાં રેલીઓ યોજવામાં આવી હતી અને પીડીપીના કાર્યાલય પર જઇને તિરંગો લહેરાવ્યો હતો. બીજી તરફ આ નિવેદનને પગલે પીડીપીમાં ભંગાણ શરૂ થઇ ગયું છે.

ત્રણ નેતાઓએ પીડીપીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. રાજીનામા આપનારા નેતાઓમાં ટીએસ બાજવા, વેદ મહાજન, હુસૈન એ વફ્ફાનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મેહબૂબા મુફ્તિના નિવેદનની ભારે ટીકા કરી હતી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ન્યૂ સાઉથ વેલ્સ ના મિનીસ્ટર ફોર એન્ટરપ્રાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ તથા મિનીસ્ટર ઓફ ટુરિઝમ એન્ડ સ્પોર્ટસ તેમજ મિનીસ્ટર ઓફ વેસ્ટર્ન સિડની શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ (Mr. Stuart Ayres) અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

Vande Gujarat News

ટેકનોલોજીની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર વધ્યું છે ત્યારે વિશ્વમાં અશકય કશું રહયું જ નથી : સોનુ શર્માની યુવાઓને હાંકલ

Vande Gujarat News

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન : ગુજરાત ભાજપાની આજે તમામ પ્રચારસભાઓ અને જાહેર સભાઓ મૌકૂફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

Vande Gujarat News

गुजरातः PM मोदी सी-प्लेन के बाद अब रो-पैक्स फेरी सेवा शुरू करेंगे

Vande Gujarat News

BJP ने पंजाब में आउटरीच प्लान शुरू किया, नशा विरोधी रैली के बाद शुरू होगी राजनीतिक गतिविधि

Admin

भारत-इटली ने साइन किए 15 MOU, मजबूत आपसी सहयोग पर बनी सहमति

Vande Gujarat News