Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBJPBreaking NewsCongressPolitical

ઓએનજીસી CSR ફંડમાંથી કોરોના કીટ ખરીદ અને સેનિટાઇઝર કૌભાંડમાં વિપક્ષે સત્તાપક્ષને આપી ક્લિનચીટ, અંકલેશ્વર નગર પાલિકાની બોર્ડ મીટિંગમાં વિપક્ષના બે ભાગમાં વહેંચાયો

અંકલેશ્વર ટાઉનમાં ટોક ઓફ ઘી ટાઉન બનેલ ઓએનજીસી CSR ફંડમાંથી કોરોના કીટ ખરીદ કથિત સેનિટાઇઝર કૌભાંડમાં બહુ ગાજેલા મેઘ વરસ્યા ના હતા. પાલિકાની અંતિમ બોર્ડ મીટીંગમાં કુલ 45 કામ એજન્ડા પર લેવાયા હતા. જે પૈકી 36 કામને મંજૂરી આપવામાં આવી હતી જયારે 2 કામ મુલતવી રાખવામાં આવ્યા હતા જયારે વિપક્ષએ રજુ કરેલ 7 એજન્ડા સત્તાપક્ષેએ નામંજુર કર્યા હતા.ખાસ કરી એજન્ડાના કામ નંબર 2 પર વિપક્ષએ હિસાબ માં લેવાયેલ સેનિટાઝાર મુદ્દે એક તરફ સુધારા આપી કામ ને ના મંજુર કર્યું હતું તો બીજી તરફ સત્તાપક્ષએ તેના ખુલાસા આપવાની વાત કરતાજ મુદ્દે ગરમાયો હતો.

વિપક્ષ ના જ રફીક ઝગડિયાવાલા અને જહાંગીર ખાન પઠાણ ખુલ્લે આમ મેદાન માં આવી તેવો આ મુદ્દે ખુલાસો કરી CSR ફંડ માં ઓએનજીસી ખરીદ કરી હતી અને તેમને મંજુર કરેલ 20 હજાર કીટ પૈકી 14 હજાર કીટ તેવો લઇ ગયા હતા પાલિકા પાસે 6 હજાર કીટ આવી હતી. જે પૈકી 2 હજાર કીટ તમામ સભ્યો વહેંચી હતી. 2000 કીટ ભાજપ પક્ષ પ્રજામાં આપી હતી તો 2 હજાર કીટ કર્મચારીઓ આપવામાં આવી હતી. ત્યારે આમ કોઈ ખાયકી થઇ નથી પ્રમુખ ક્લિનચીટ આપતા આ મુદ્દે લેવાયેલ મતદાનમાં તેવો સત્તાપક્ષ ના ફેવર માં મતદાન કરી સત્તાપક્ષને ટેકો અપાયો હતો અને આ કામને બહુમતે મંજુર કરાવ્યું હતું.

સેનેટાઇઝરનો મુદ્દો ખોટો છે, અમારી પાસે તમામ હિસાબ છે, અને ઓએનજીસીએ અમને તેમને 20 હજાર પૈકી 14 હજાર કીટ લઇ ગયા છે તેનો લેટર પણ છે અને જે 6 હજાર કીટ આપી છે તેનો પણ હિસાબ છે . – દક્ષાબેન શાહ, પ્રમુખ, નગરપાલિકા અંકલેશ્વર

સત્તાપક્ષના સેનિટાઇઝર ના મુદ્દે 36 લાખ રૂપિયા જે ચુકવણું કરવામાં આવ્યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેમજ થેલી ની ખરીદમાં ઓછી આવી છે અને વધારા ની થેલી ચુકવણું કરવામાં આવ્યું છે. એટલુંજ અહી પણ મોટી ગોબાચારી થઇ છે. આ તમામ મુદ્દે અમે વિજિલન્સ તપાસ માગી છે. – ભુપેન્દ્ર જાની, વિપક્ષ નેતા

संबंधित पोस्ट

ઝઘડિયાના વેલુગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા ઉપર દીપડાનો હુમલો

Vande Gujarat News

बीजेपी अध्यक्ष जेपी नड्डा आज दोपहर 1:00 बजे जयपुर आएंगे

Vande Gujarat News

बंगालः डायमंड हार्बर में जेपी नड्डा के काफिले पर हुए हमले की गाज एसपी पर गिरी, हुआ तबादला

Vande Gujarat News

વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં 3,400થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલાયા

Vande Gujarat News

રાજપીપળા-વડોદરા ST બસમાંથી ઉતરીને અચાનક જ ડ્રાઇવર નર્મદા નદીમાં કૂદી પડ્યો, પાણીમાં તરી રહેલા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ

Vande Gujarat News

पीएम मोदी करेंगे अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी को संबोधित, 56 साल बाद ऐसा पहला मौका

Vande Gujarat News