Vande Gujarat News
Breaking News
AccidentBreaking NewsNarmada (Rajpipla)

રાજપીપળા-વડોદરા ST બસમાંથી ઉતરીને અચાનક જ ડ્રાઇવર નર્મદા નદીમાં કૂદી પડ્યો, પાણીમાં તરી રહેલા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ

  • નર્મદા નદીમાં કૂદી ગયેલા ડ્રાઇવરની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી, કલાકો બાદ પણ કોઇ પત્તો મળ્યો નથી
  • ડ્રાઇવરે કયા કારણોસર પોઇચા બ્રિજ પરથી કૂદ્યો તેનું રહસ્ય અકબંધ, પોલીસ તપાસ શરૂ

રાજપીપળાથી વડોદરા ST બસ લઇને નીકળેલો ડ્રાઇવરે પોઈચા પુલ પર અચાનક બસ ઉભી રાખી હતી અને પુલ પરથી નર્મદા નદીમાં કૂદી પડ્યો હતો. જેને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. નર્મદા નદીમાં કૂદ્યા બાદ પાણી તરી રહેલા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ થયો છે. જોકે ત્યારબાદ તેનો કોઇ પત્તો મળ્યો નથી.

રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી
રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટના કેમ બની તે મામલે તપાસ હાથ ધરી છે. અચાનક ડ્રાઇવર કેમ પુલ પરથી નીચે કૂદી પડ્યો એ પ્રશ્ન હાલ પોલીસ અને ST ડેપો સ્ટાફમાં ચર્ચાઈ રહ્યો છે. જોકે, ડ્રાઇવરનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી. આ ઘટના સંદર્ભે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડ્રાઇવરે અચાનક નદીમાં કૂદકો મારતા મુસાફરો ગભરાઇ ગયા
રાજપીપળાથી 26 ઓક્ટોબરે સાંજે 5:00 કલાકની આસપાસ GJ-18- Z-5630 નંબરની બસ લઇને 748 બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશિષકુમાર રણછોડ મુંડવાડા(રહે, સંતરામપુર) પેસેન્જર લઇને વડોદરા કિર્તીસ્તંભ જવા રવાના થયો હતો. અચાનક 5:50 કલાકની આસપાસ તેણે બસ નજીકના પોઈચા પુલ પર ઉભી રાખી હતી અને નીચે ઉતરી કોઈ કશું સમજે એ પેહલા જ નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જેથી પેસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટના બાદ ત્યાં લોક ટોળા ઉમટી પડ્યા હતા અન્ય પેસેન્જરે આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં અને ST ડેપોમાં જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડડની મદદ લઇને ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી.

કલાકો પછી પણ ડ્રાઇવરનો કોઇ પત્તો મળ્યો નથી
જોકે, ઘટના ઘટનાના કલાકો બાદ પણ ડ્રાઇવરનો કોઇ પત્તો લાગ્યો નથી. ડ્રાઇવર આશિષકુમાર રણછોડ મુંડવાડાએ જ્યારે નર્મદા નદીમાં છલાંગ લગાવી, ત્યારે અમુક સમયનો કોઈકે વીડિયો પણ ઉતારી લીધો હતો, એ વીડિયોમાં ડ્રાયવર આશિષ તરવાનો પ્રયત્ન કરતો નજરે પણ ચઢે છે. રાજપીપળા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

રવિવારે સવારે ડ્રાઇવર નાસિકથી પરત ફર્યો હતો
રાજપીપળા ST ડેપોમાંથી મળતી માહિતી મુજબ ડ્રાઇવર આશીસ કુમાર રણછોડ મુંડવાડા રવિવારે સવારે 7:20 કલાકે નાસિકથી ST બસ લઈ રાજપીપળા રિટર્ન થયો હતો.

संबंधित पोस्ट

अमेरिका में बाइडेन ने ट्रंप को हराया, राष्ट्रपति कोविंद और पीएम मोदी समेत कई नेताओं ने दी बधाई

Vande Gujarat News

अमित शाह ने श्रीमती द्रौपदी मुर्मू जी को देश के सर्वोच्च पद पर चुने जाने के ऐतिहासिक क्षण पर शुभकामनाएं दीं

Vande Gujarat News

માસ્ક ન પહેરનારાંને કોમ્યુનિટી સર્વિસના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

Vande Gujarat News

દિવ્યાંગોના સામાજિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ સમાજ સુરક્ષા વિભાગ પોરબંદર

Vande Gujarat News

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી, શું છે લક્ષણો ? સંક્રમણથી બચવા શું કરવું ? અને શું છે તેની સારવાર ? જુઓ આ ખાસ અહેવાલમાં…

Vande Gujarat News

નેત્રંગના કુરી ગામના સ્મશાન પાસે જુગાર રમતા ૭ પકડાયા, ૨ ફરાર

Vande Gujarat News