Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsCongressCrimeDharmIndiaNationalPolitical

એક તરફી લવ જેહાદ – ફરિદાબાદ હત્યાકાંડ : તૌસિફ કોંગ્રેસના ધારાસભ્યનો પિતરાઇ ભાઈ છે, તૌસિફ અને તેની માતાએ નિકિતા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું

ચાર વર્ષથી તૌસીફ લગ્ન માટે ધાકધમકી આપતો હતો, નિકિતાએ ડર્યા વગર સ્કૂલ-કોલેજનો અભ્યાસ શરૂ રાખ્યો ને ટોપ કર્યું

ફરિદાબાદમાં બી.કોમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી નિકિતા તોમરની તૌસીફે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેતા મામલો વધુ બિચક્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તૌસીફ અને તેની માતા મળીને નિકિતા પર ધર્મ પરિવર્તન કરી લગ્ન કરી લેવા માટે દબાણ કરતા હતા. અગાઉ ૨૦૧૮માં પણ તૌસીફે નિકિતાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર તૌસીફ નિકિતાને વારંવાર ફોન કરતો હતો, આ દરમિયાન તૌસીફની માતા પણ નિકિતા પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ મક્કમ રહેલી નિકિતાએ ડર્યા વગર પોતાનો અભ્યાસ શરૂ રાખ્યો હતો અને સ્કૂલ કોલેજોમાં તે ટોપ કરતી રહી. નિકિતા ટોચની સરકારી અધિકારી બની સેવા કરવા માગતી હતી પણ સનકી તૌસીફે તેની જાહેરમાં હત્યા કરી દીધી.

મૃતક નિકિતાના પિતા મૂલચંદ તોમર તેમજ મામા હાકિમસિંહે જણાવ્યું હતું કે નિકિતા સ્કૂલના સમયમાં તે બહુ જ હોશિયાર હતી અને તેણે ટોપ કર્યું હતું. આરોપી તૌસીફ પણ સ્કૂલમાં ૧૨માં ધોરણમાં સાથે ભણતો હતો ત્યારથી તેને પરેશાન કરતો રહ્યો. નિકિતાએ આ વાતની જાણકારી પરિવારને પણ આપી જોકે પરેશાન કરતો હોવાની વધુ વાત ન કરી. ૨૦૧૮માં લગ્ન કરવાના ઇરાદાથી નિકિતાનું તૌસીફે અપહરણ કરી લીધુ હતું. બાદમાં તૌસીફનો પરિવાર નિકિતાના પરિવારને મળ્યો હતો અને જે બન્યું તેની માફી માગી હતી. જોકે બાદમાં તેઓએ નિકિતા પર દબાણ વધાર્યું, તૌસીફની માતાએ નિકિતાને ફોન પર ધર્મ પરિવર્તન કરી લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું હતું. તૌસીફ અને તેનો પરિવાર નિકિતાનું બ્રેઇન વોશ કરવા માગતા હતા, પણ નિકિતાએ વિરોધ કર્યો અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી તેના તૌસીફે તેના મિત્રો સાથે મળી જાહેરમાં હત્યા કરી દીધી હતી.

संबंधित पोस्ट

प्रियंका की ‘राहुल ने हार्वर्ड में पढ़ाई की’ वाली टिप्पणी पर BJP-कांग्रेस के बीच घमासान

Admin

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દરબારમાં, પીએમ મોદી સાથે કરી મહત્વની મુલાકાત

Admin

ગુજરાત સરકાર શ્રમિકો માટે સુંદર-સ્વચ્છ આવાસ બનાવવા વિચારણાધિન:- નાણાપ્રધાન કનું દેસાઈ

Admin

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજીરા થી ઘોઘા રો-પેક્ષ ફેરીનો પ્રારંભ કરાવ્યો, હવે 12 કલાકની મુસાફરી 4 કલાકમાં થશે

Vande Gujarat News

અમદાવાદમાં ઝરમર વરસાદમાં સમી સાંજે સાબરમતીના નવા પુલ પર ફર્સ્ટટાઈમ મેટ્રો ટ્રેન નો ટ્રાયલ કરવામાં આવ્યો

Vande Gujarat News

અમદાવાદનું દંપતી હનીમુન માટે થાઈલેન્ડ ગયું, પત્નીને સુહાગરાતે ખબર પડી કે પતિ નપુંસક છે, સાસુને ફરિયાદ કરી તો કહ્યું, ‘અમને બધી ખબર છે’

Vande Gujarat News