Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsJambusar

જંબુસર પંથકમાં કોરોના મહામારી વચ્ચે ઇદે મિલાદુન્નબીના પર્વની તડામાર તૈયારી શરૂ

સંદીપ દીક્ષિત – જંબુસર પંથકમાં મુસ્લિમ બિરાદરોના ઇદે મિલાદુન્નબીના પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે માહે રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી જલાલપુરા, તલાવપુરા કસબા ગંજ શહિદ ની દરગાહ શણગારવામાં આવી છે. મોહલ્લા, મસ્જિદ અને શેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. ઠેરઠેર લાઇટિંગના તોરણ, પોસ્ટરો લગાવી ઇદે મિલાદુન્નબીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.


જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો, ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજાવગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ ધર્મના સ્થાપક એવાં મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના જન્મ દિન નિમિતે “ઇદે મિલાદુન્નબી “સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના ભાગરૂપે મુસ્લિમ સમુદાય ના લોકો આખાય વિશ્વમાં પોતાના ઘરો, શેરીઓ, મહોલ્લાઓ તેમજ ધર્મસ્થળો ને ઇદે મિલાદ ના માસના પહેલાજ દિવસ થી રોશની થી શણગારી ઝગમગ કરાય છે.

ઈસ્લામિક મહિના રબિયુલ અવ્વલ માશ ની ૧૨મી તારીખે દરવર્ષે સાનો સોકત થી નગરો શહેરો અને ગામડાઓમાં ઝુલુસ કાઢી ઇદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવે છે. પણ ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઈ ઝુલુસ કાઢવાનું મોકૂફ રખાતા મુસ્લિમ સમુદાયમાં અફસોસ ની લાગણી જોવા મળી રહી છે. કોરોના જેવી ગંભીર બીમારી આખા વિશ્વ અને ભારત દેશ માંથી નેસ્તનાબુદ થઈજાય તેવી દુવાઓ અને પ્રાર્થનાઓ સાથે તહેવાર ની ઉજવણી કરવામાં આવશે.

संबंधित पोस्ट

દ્વારકાધીશના દર્શને જવાના હોવ તો ખાસ જાણી લેજો, તંત્રએ 4 દિવસ માટે બંધ કરી આ સુવિધા

Vande Gujarat News

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક ના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ

Admin

તમારી જાત સિવાય તમને કોઇ જ સફળ કરી શકે નહીં, જીવનમાં જે કરો એ બેસ્ટ કરો : સંજય રાવલ

Vande Gujarat News

અંકલેશ્વરના વિશાખાબા ફાઉન્ડેશન દ્વારા 600 મહિલાઓને સ્વનિર્ભર બનાવવામાં આવી…

Vande Gujarat News

જુઓ Trailer #Chakravyuh”…! અંકલેશ્વરના કલાકારો “ચક્રવ્યૂહ” નામક શોર્ટ ફીલ્મમાં કલાકાર તરીકે અભિનયના ઓજસ પાથરશે

Vande Gujarat News

देखें तस्वीरें…! ऐसा होगा नया संसद भवन, लोकसभा अध्यक्ष बोले- आत्मनिर्भर भारत का प्रतीक,

Vande Gujarat News