Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsCrimeIndiaNationalPolitical

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલામાં ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી સહિત 3 નેતાઓની રાતે ગોળી મારીને હત્યા

ભરત ચુડાસમા – જમ્મુ-કાશ્મીરમાં ભાજપના કાર્યકરોની હત્યાના કેસો અટકવાનું નામ નથી લેતા , હવે કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ યુવા મોરચાના મહામંત્રી સહિત 3 નેતાઓની હત્યા કરી છે. ફીદા હુસેન યુવા મોરચાના મહામંત્રી હતા. ફિદા હુસેન સહિત ભાજપના બે નેતાઓ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

ગુરુવારે રાત્રે આઠ વાગ્યે કુલગામ પોલીસને ભાજપના ત્રણ નેતાઓ પર થયેલા આતંકી હુમલાની માહિતી મળી. તે પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકરો પર ગોળીબાર કર્યો હતો, તેમની ઓળખ ફીદા હુસેન, ઓમર રશીદ બેગ અને અબ્દર રશીદ બેગ તરીકે થઇ છે. આ હુમલામાં ત્રણેય ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરાયો હતો.

પોલીસે આ અંગે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ ચાલુ છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ગયા મહિને મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં પણ ભાજપના એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બડગામના દલવાશ ગામમાં ભાજપના કાર્યકર અને બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલર (બીડીસી) બ્લોક ખાગને કથિત રીતે તેમના ઘરે ગોળી મારી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ખગ બડગામના બીડીસી પ્રમુખ અને શાસક ભાજપના સરપંચ ભૂપિંદર સિંહને તેમના નિવાસ સ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન ટીઆરએફએ લીધી છે.

જ્યારે ઓગસ્ટ મહિનામાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ભાજપ નેતા સજ્જાદ અહેમદને ગોળી મારીને હત્યા કરી હતી. આ મહિનાની ચોથી તારીખે કાજીગુંડના અખરાન વિસ્તારમાં મીર માર્કેટમાં ભાજપના સરપંચ આરીફ અહેમદને આતંકીઓએ ગોળી મારી દીધી હતી.

જુલાઇમાં જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ દ્વારા ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી. આતંકીઓએ વસીમ બારી અને તેના પિતા અને ભાઈ ઉપર પણ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ત્રણેયનું મોત નીપજ્યું હતું. બીજેપી નેતા તેના પિતા અને ભાઈ સાથે દુકાન પર હતા. ત્યારે જ આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું.

संबंधित पोस्ट

राजस्थान बजट: गहलोत ने सात मिनट तक पढ़ा पुराना बजट, BJP ने दी ऐसी प्रतिक्रया

Admin

ખેડૂતોમાં રોષ:અંકલેશ્વરના દીવા ગામના ખેડૂતોનો એક્સપ્રેસ વેની કામગીરી સામે વિરોધ, 2011 મુજબ વળતર આપવાની જાહેરાત કરાતા કામગીરી અટકાવી

Vande Gujarat News

કોંગ્રેસના સમર્થન છતાં ખેડૂતો દ્વારા અપાયેલ ભારત બંધના આંદોલનને જંબુસરમાં નબળો પ્રતિસાદ..! કોંગ્રેસનું સેટિંગ ડોટ કોમ…?

Vande Gujarat News

કોંગ્રેસના ધારાસભ્યની થઈ ધરપકડ, આસામ ની કોકરાઝાર પોલીસે ગુજરાતમાંથી કોંગ્રેસ સમર્પિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કરી ધરપકડ, શું છે સમગ્ર મામલો જુઓ…

Vande Gujarat News

ફ્રાન્સમાં ફરી એક મહિનાનું લૉકડાઉન, 700 કિ.મી સુધી ટ્રાફિક જામ – એક દિવસમાં 50 હજાર સાથે ફ્રાન્સમાં કોરોનાના કુલ 13.31 લાખ કેસ

Vande Gujarat News

જંબુસર તાલુકાના ઉબેર ગામે રાત્રિના સમયે ચોરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યા, ૪,૪૯,૦૦૦ ₹ ના ઘરેણાની કરેલી ચોરી

Vande Gujarat News