Vande Gujarat News
Breaking News
Breaking NewsCrimeDefenseGovtIndiaNationalWorld News

પુલવામા હુમલો અમે જ કરાવ્યો હતો : પાકિસ્તાનના મંત્રીનો એકરાર

– 2019ના હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા

– હમને હિન્દુસ્તાન કો ઘૂસ કે મારા, પુલવામા હમારી સફળતા : ફવાદ ચૌધરી

પાકિસ્તાન આતંકવાદનું જનક-પાલક-પોષક હોવાનું વધુ એક વાર સાબિત થયું

પાક.સંસદમાં ઇમરાનની આબરૂના ધજાગરા

(પીટીઆઈ) ઇસ્લામાબાદ,

2019માં કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો પાકિસ્તાને જ કરાવ્યો હતો, એવો એકરાર પાકિસ્તાની મંત્રીએ કર્યો હતો. પાકિસ્તાનના વિજ્ઞાાન-ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ પાકિસ્તાની સંસદમાં કહ્યું હતું કે હમને હિન્દુસ્તાન કો ઘૂસ કે મારા, પુલવામા હમારી સફલતા હે.

44 Indian security personnel killed in held Kashmir attack - Newspaper -  DAWN.COM

આટલું બોલવું જાણે ઓછું હોય તેમ મંત્રીએ આ હુમલાની સફળતાનો શ્રેય પણ ઓછું ઇમરાન ખાનને આપી દીધો હતો. એ સાથે જ પાકિસ્તાન આતંકવાદીઓને ઉછેરતું હોવાનો વધુ એક પૂરાવો જગત સમક્ષ રજૂ થઈ ચૂક્યો હતો. ભારત વર્ષોથી કહેતું આવ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદ પાછળ પાકિસ્તાની સરકાર અને સૈન્યનો જ હાથ છે. એ વાત પાકિસ્તાની મંત્રીએ આજે જગત સમક્ષ રજૂ કરી દીધી હતી.

Pulwama Attack: Why Nobody Is Questioning The Intelligence Failure? |  Countercurrents

ફવાદ ચૌધરી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનના વિશ્વાસુ છે. માટે તેમની આ વાતના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. વળી ચૌધરી પુલવામા હુમલા વખતે પાકિસ્તાનમાં માહિતી-પ્રસારણ મંત્રી હતા.  ફેબુ્રઆરી 2019માં જમ્મુ-શ્રીનગર હાઈવે પરથી પસાર થઈ રહેલા સીઆરપીએ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાન પર પુલવામા પાસે આતંકી હુમલો થયો હતો. ભારતમાં છેલ્લા વર્ષોમાં થયેલો એ ઘાતક હુમલો હતો. તેના પરિણામે બન્ને દેશો વચ્ચેના સબંધો અતિ તંગ બન્યા હતા.

One year to Pulwama attack: What had happened and how India retaliated

પાકિસ્તાનના આ સ્વિકાર પછી ભારતે ફરીથી કહ્યું હતું કે અમે વર્ષોથી કહેતા આવીએ છીએ એ વાતનો પાકિસ્તાને આજે સ્વિકાર કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે રાષ્ટ્રસંઘે જાહેર કરેલા આતંકીઓ પૈકી સૌથી વધુ આતંકીઓ પાકિસ્તાનમાં આશરો લઈને બેઠા છે. થોડા દિવસો પહેલા ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટુ-પ્લસ-ટુ સંવાદ વખતે પાકિસ્તાનને કહ્યું હતું કે તમે આતંકને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. પાકિસ્તાને એ તો બંધ નથી કર્યું, પણ પોતાની પોલ ખોલી દીધી હતી.

India news LIVE: China says it is shocked by Pulwama attack but won't  change stance on Masood Azhar

સ્ટ્રાઈક પર શંકા કરનારા રાહુલ હવે તો માનશે ને? : ભાજપનો પ્રહાર

ભાજપે આજેે કહ્યું હતું સ્ટ્રાઈક વખતે રાહુલ ગાંધીને સરકાર કેે આર્મી પર વિશ્વાસ ન હતો. પરંતુ હવે જ્યારે રાહુલના માનીતા દેશ પાકિસ્તાને જ સ્ટ્રાઈકનો એકરાર કર્યો છે, ત્યારે તો રાહુલ આ વાત માનશે ને? ભાજપ પ્રમુખ નડ્ડાએ કહ્યું હતું કે સર્જીક સ્ટ્રાઈક પછી સરકાર અને લશ્કરમાં વિશ્વાસ મુકવાને બદલે કોંગ્રેસે આર્મીનુ મોરલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. નડ્ડાએ કહ્યુ હતુ કે રફાલ વિમાનો ભારતને મોડા મળે એટલા માટે પણ કોંગ્રેસે અનેક પ્રયાસો કર્યા હતા. પણ દેશના લોકોએ કોંગ્રેસના બધા પ્રયાસો રિજેક્ટ કર્યા છે. સંબિત પાત્રાએ કહ્યું હતું  કે રાહુલ માત્ર કોંગ્રેસના નહીં પાકિસ્તાનના પણ કુંવર છે.

संबंधित पोस्ट

અંકલેશ્વરમાં બનનાર પ્રધાનમંત્રી આવાસ યોજના પડતી મુકાઈ, ગરીબ-મધ્યમવર્ગીય 750 પરિવારોએ અરજી કરી હતી

Vande Gujarat News

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા કનોરિયા કેમિકલ અંકલેશ્વર અને નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે જીતાલી ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો

Vande Gujarat News

ભરૂચમાં વર્ષોથી સ્પાની આડ માં ચાલતું હતું કુટણખાનું, બિગબોસ નો પોલીસે કર્યો પર્દાફાશ

Vande Gujarat News

वरिष्ठ कांग्रेस नेता अहमद पटेल का निधन, एक महीना पहले हुए थे कोरोना पॉजिटिव

Vande Gujarat News

रोंगटे खड़े करने वाला क्रूर अपराध, जिस वजह से 70 साल में पहली बार महिला को मिलेगी सजा-ए-मौत

Vande Gujarat News

नेपाली प्रधानमंत्री ओली के रुख से चीन की बेचैनी क्यों बढ़ गई है?

Vande Gujarat News