Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharm

શરદ પૂર્ણિમાએ ભરૂચમાં રણછોડજી મંદિર પાસે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવશે

કોરોના સંક્ર્મણના કારણે મંદિરે થતી ઉભા ભજનની પરંપરા આ વર્ષે તૂટશે

BNI NEWS

ભરૂચમાં રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે અહીંયા આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.આ વર્ષે કોરોના સંક્રમણ હોવા કારણે રણછોડજીનો શણગાર કરવા સાથે આરતી તેમજ દર્શનનો લ્હાવો ભક્તો સરકારી ગાઈડલાઈનના પાલન સાથે દર વર્ષની જેમ લઈ શકશે.પરંતુ પરંપરાગત યોજાયા ઉભા ભજનની વર્ષો પુરાની પરંપરા તૂટશે.વર્ષો પહેલાં અહીંયા આવેલી દીપમાળમાં તેલના દિવડા બાધા પૂરી થઈ હોય તેવા શ્રધ્ધાળુઓ મુકતા હતા.

આધુનિક સમયમાં પરંપરા દિવડાઓનું સ્થાન રંગબેરંગી ઈલેકટ્રીક બલ્બએ લીધુ છે. જેથી દીપમાળ પણ રંગબેરંગી રોશની થી શરદ પૂર્ણિમાની શીતળ ચાંદની સાથે સ્પર્ધા કરતો હોય તેમ લાગે છે.આ વર્ષે પણ દીપમાળને રંગરોગાન કરી સુશોભીત કરી દેવામાં આવ્યું છે.જે પૂર્ણ રીતે ઝળહળે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે.શરદ પૂર્ણિમાએ તે ઉપરાંત રણછોડજી મંદિર પાસે આવેલા નવચોકી ઓવારાએ જવાનું પણ લોકો ચુકતા નથી.

संबंधित पोस्ट

જાહેરહિતની અરજી:મહિલા ચૂંટાયા બાદ પરિવારના પુરુષના હાથમાં સત્તા સામે હાઇકોર્ટમાં PIL

Vande Gujarat News

वैक्सीनेशन पर स्वास्थ्य मंत्रालय ने जारी की गाइडलाइंस, कोरोना वैक्सीन लगवाने से पहले जान ले आपके लिए सुरक्षित है या नहीं

Vande Gujarat News

PM મોદીના કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્તમાં ગઇ અને અંકલેશ્વરમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીએ એકસાથે 8 દુકાનને નિશાન બનાવી

Vande Gujarat News

72वें गणतंत्र दिवस की पूर्व संध्या पर इतने बजे देश को संबोधित करेंगे राष्ट्रपति रामनाथ कोविंद

Vande Gujarat News

સાપુતારામાં સુરતની ખાનગી બસ ખીણમાં ખાબકી..બે મહિલાના મોત…

Vande Gujarat News

ગુજરાત પોલીસને આપવામાં આવેલા 10,000 બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું

Vande Gujarat News