Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharm

શરદ પૂર્ણિમાએ ભરૂચમાં રણછોડજી મંદિર પાસે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવશે

કોરોના સંક્ર્મણના કારણે મંદિરે થતી ઉભા ભજનની પરંપરા આ વર્ષે તૂટશે

BNI NEWS

ભરૂચમાં રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે અહીંયા આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.આ વર્ષે કોરોના સંક્રમણ હોવા કારણે રણછોડજીનો શણગાર કરવા સાથે આરતી તેમજ દર્શનનો લ્હાવો ભક્તો સરકારી ગાઈડલાઈનના પાલન સાથે દર વર્ષની જેમ લઈ શકશે.પરંતુ પરંપરાગત યોજાયા ઉભા ભજનની વર્ષો પુરાની પરંપરા તૂટશે.વર્ષો પહેલાં અહીંયા આવેલી દીપમાળમાં તેલના દિવડા બાધા પૂરી થઈ હોય તેવા શ્રધ્ધાળુઓ મુકતા હતા.

આધુનિક સમયમાં પરંપરા દિવડાઓનું સ્થાન રંગબેરંગી ઈલેકટ્રીક બલ્બએ લીધુ છે. જેથી દીપમાળ પણ રંગબેરંગી રોશની થી શરદ પૂર્ણિમાની શીતળ ચાંદની સાથે સ્પર્ધા કરતો હોય તેમ લાગે છે.આ વર્ષે પણ દીપમાળને રંગરોગાન કરી સુશોભીત કરી દેવામાં આવ્યું છે.જે પૂર્ણ રીતે ઝળહળે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે.શરદ પૂર્ણિમાએ તે ઉપરાંત રણછોડજી મંદિર પાસે આવેલા નવચોકી ઓવારાએ જવાનું પણ લોકો ચુકતા નથી.

संबंधित पोस्ट

સંવેદનશીલ ધારાસભ્ય પોતાના જન્મદિને “હાઈડ્રોસેફાલસ” જેવી ગંભીર બીમારીથી પીડાતી દોઢ વર્ષની બાળકીની વ્હારે આવ્યા, સાબુઘરના બાળકો સાથે કરી જન્મદિનની ઉજવણી…

Vande Gujarat News

ગુજરાતની આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી

Vande Gujarat News

ISRO के बड़े वैज्ञानिक का दावा-जहर देकर हुई थी मारने की कोशिश

Vande Gujarat News

વીડિયો ગેમના પાત્રોનો સંગ્રહ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કલેક્શનમાં છે 3050 કેરેક્ટર

Vande Gujarat News

वैक्सीनेशन पर स्वास्थ्य मंत्रालय ने जारी की गाइडलाइंस, कोरोना वैक्सीन लगवाने से पहले जान ले आपके लिए सुरक्षित है या नहीं

Vande Gujarat News

વાગરા ખાતે 200 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો, વાગરા તાલુકા કોંગ્રેસમાં ભાજપાની સર્જીકલ સ્ટ્રાઈક…

Vande Gujarat News