Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsGovtJambusarOther

જંબુસર એસટી ડેપોનો રેઢિયાળ તંત્ર કોરોનામાં એસટી ડેપોના સત્તાધીશો લાપરવાહ

સંદીપ દીક્ષિત – જંબુસર એસટી ડેપોમાંથી ૩૫૮ ટ્રીપો કાર્યરત છે બસોમા ખીચોખીચ મુસાફરો ભરી કોરોનાકાળ મા ડેપો સત્તાધીશો દ્વારા ધર્મ સ્કેનીંગ કે સેનિટાઈઝર મુસાફરોને કરાવવામાં આવતું નથી જેને લઈ ડેપો સત્તાધીશોની લાપરવાહી સામે આવી છે.


જંબુસર તાલુકા મથકનું સ્થળ છે. જ્યાં દરેક ગામની જનતાએ બહારગામ જવા નોકરીધંધે જવા જંબુસર એસટી ડેપોના સહારો લેવો પડતો હોય છે. જંબુસર એસટી ડેપોમાંથી કુલ ૪૮ રૂટ ની ૩૫૮ ટ્રીપો મળી કુલ ૨૦૪૮૦ કિલોમીટર ની આશરે અઢી લાખ ઉપરાંત રોજીંદી આવક થતી હોય છે હાલ કોરોના મહામારી ચાલુ હોઈ સરકાર દ્વારા પણ કોરોના નીતિનિયમોનું પાલન કરવા અંગે વખતોવખત જાણકારી આપવામાં આવતી હોય છે.

કંપની સંચાલકો સરકારી ઑફિસો દુકાનદારો પણ સેનિટાઈઝર માસ્કનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જંબુસર એસટી ડેપોના સંચાલકોને જાણે કોરોનાનો ડર ન હોય તેમ કોઇ પ્રકારની સરકારની ગાઈડલાઈનનો પાલન કરવામાં આવતું નથી, ના તો મુસાફરોનું થર્મ સ્કેનિંગ થાય છે કે, ના તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. શરુઆતમાં જંબુસર એસટી ડેપોમાં દરેક મુસાફરોનું થર્મસ સ્કેનિંગ સેનેટાઈઝરથી હાથ સફાઈ કરાવવામાં આવતાં હતાં. પરંતુ હમણાં કોઈ પણ પ્રકારની સરકારની ગાઈડલાઈનનો પાલન કરવામાં આવતું નથી.  બસોમાં ખીચોખીચ મુસાફરો ભરી દેવામાં આવે છે.

એસ ટી સત્તાધીશોને કોરોનાનો ડર નથી ? કંડકટરો પાસે થર્મસ સ્કેનિંગ મશીન હતું તે ક્યાં છે ? સેનિટાઇઝર હતું તે ક્યાં છે ? તેવા પ્રશ્નો લોક માનસમાં ઘૂમી રહ્યાં છે. જંબુસર એસટી ડેપોમાં દરેક મુસાફરનું થર્મસ સ્કેનિંગ થાય સેનિટાઇઝરથી હાથ સફાઈ કરાવવા માટે ડેપોમેનેજર એટીઆઈ ની ફરજ નથી તેવા પ્રશ્નો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે. વહેલી તકે ડેપો સત્તાધીશો દ્વારા મુસાફરોનું ફાર્મ સ્કેનિંગ અને હાથ સેનેટાઇઝરથી સફાઈ કરાવવામાં આવે તે ઈચ્છનીય છે.

संबंधित पोस्ट

શ્રીકૃષ્ણ માનવ સેવા સમાજ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

Vande Gujarat News

સધર્ન કમાન્ડ દ્વારા ઓપન ઑનાલઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Vande Gujarat News

ભારતમાં 5G કનેક્ટિવિટી પ્રદાન કરવામાં એરટેલ અવ્વલ રહેશે: સુનીલ મિત્તલ

Vande Gujarat News

ધારાસભ્યના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં 150 બેઠકોની મેડિકલ કોલેજને મંજૂરી

Vande Gujarat News

सावधान! चीनी ऐप्स से कहीं इस्टेंट लोन तो नहीं लिया, साबित हो रहे जानलेवा

Vande Gujarat News

ત્રિદિવસીય કાર્યક્રમમાં ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ૩૮૦ જેટલા પ્રોજેકટ રજૂ કરશે.

Vande Gujarat News