Vande Gujarat News
Breaking News
Breaking NewsNationalWorld News

માલીમાં ફ્રાન્સનો હવાઈ હુમલો અલકાયદાના 50 આતંકીનો ખાતમો – ડ્રોનથી આતંકીઓનો કાફલો પકડયા પછી હુમલો કર્યો

 હુમલામાં આતંકીઓની અનેક મોટરસાઇકલનો પણ ખાતમો, સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી

Mali: 'Terrorists' killed in French airstrike near Niger border

બમાકો,

ફ્રાન્સનો મુસ્લિમ દેશોમાં કાર્ટૂનના વિવાદને પગલે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ફ્રાન્સે માલીમાં આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે, જેમાં અલ કાયદાના 50થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. આ જાણકારી ફ્રાન્સ સરકાર દ્વારા આપવામાં આવી હતી. આતંકીઓનો એક મોટો કાફલો જઇ રહ્યો હતો જેના પર આ બોમ્બમારો કરાયો હતો.

ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લીએ જણાવ્યું હતું કે 30મી ઓક્ટોબરના રોજ માલીમાં સૈન્ય અને એરફોર્સ દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. અહીં મોટા પ્રમાણમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ આ નિર્ણય માલી સરકાર સાથેની ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. હાલ માલીમાં ફ્રાન્સ સૈન્ય અને માલી બન્ને મળીને એન્ટી જિહાદી ઓપરેશન બરખાને ચલાવવામાં આવી રહ્યું છે.

France airstrike in Mali killed More than 50 al qaeda terrorists । फ्रांस का आतंक के खिलाफ एयर स्ट्राइक, माली में मार गिराये 50 से अधिक जेहादी | Hindi News, दुनिया

ફ્રાન્સે એરસ્ટ્રાઇક અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આ હવાઇ હુમલામાં 30થી વધુ મોટરસાઇકલનો પણ ખાતમો બોલાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. ફ્રાન્સે સૌથી પહેલા આતંકીઓની જાણકારી ડ્રોન દ્વારા મેળવી હતી.

આતંકીઓ બહુ જ મોટી સંખ્યામાં મોટરસાઇકલ પર સવાર થઇને બોર્ડર એરિયામાંથી પસાર થઇ રહ્યા હતા. જોકે આતંકીઓને ડ્રોનની જાણકારી મળી જતા તેઓ જંગલમાં જતા રહ્યા હતા, બાદમાં ફ્રાન્સે બે મિરાજ જેટ મોકલ્યા હતા, જેના દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો અને આશરે 50થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો.

France launches new air strike in Syria against IS | New Mail Nigeria

संबंधित पोस्ट

દિવ્યાંગોના સામાજિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ સમાજ સુરક્ષા વિભાગ પોરબંદર

Vande Gujarat News

અંકલેશ્વરના વિશાખાબા ફાઉન્ડેશન દ્વારા 600 મહિલાઓને સ્વનિર્ભર બનાવવામાં આવી…

Vande Gujarat News

ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

Vande Gujarat News

અહો વૈચિત્ર્યમ્!!! ભરૂચ નગરપાલિકાના બાકડા અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં મુકાઇ રહ્યા છે…

Vande Gujarat News

ભરૂચ નગરપાલિકા દ્વારા ટેક્સ સ્વરૂપે ઉઘરાવેલા પાણીના રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના એક સામાન્ય નાગરિકના આક્ષેપ બાદ…! જુઓ વિડીયો શું કહ્યું ? પાલિકા પ્રમુખે…

Vande Gujarat News

28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે, રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું. જુઓ તસ્વીરો

Vande Gujarat News