Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsCrimeJaagadiya

ઝગડિયા ખાતે આવેલ ગુમાનદેવ મંદિરના મહંત ઉપર હુમલા કેસમાં પોલીસે 9 લોકોની કરી ધરપકડ, 28 ઓક્ટોબરે અકસ્માત સર્જાતા ટોળાએ મહંતને માર માર્યો હતો

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના મહંત ઉપર ટોળાએ કરેલા હુમલા પ્રકરણમાં છ દિવસ દરમિયાન પોલીસે ચાર મહિલા અને પાંચ યુવાનો મળી કુલ 9 લોકોની ધરપકડ કરી છે. ગત તારીખ 28 ઓક્ટોબરના વહેલી સવારના સમયે ગુમાનદેવ બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોતા ચાર વ્યક્તિઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ ઉપર હુમલો કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કુલ 8.80 લાખની રોકડ સહિતા મુદ્દામાલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ ગુમાનદેવ મંદિરના મહંતે ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.

આ બનાવના છ દિવસ બાદ ઝઘડિયા પોલીસે અત્યારસુધી ચાર મહિલા અને પાંચ યુવાનો મળી નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે મહંત ઉપર હુમલો કરવાના પ્રકરણમાં ઇચ્છાબેન કેશવ પટેલ, રેવાબેન સોમા પટેલ, ભાવનાહેન કિશોર પટેલ, કાશીબેન હસમુખ પટેલ, હર્ષદ શૈલેશ પટેલ, હિતેશ હસમુખ પટેલ, મયુર રમેશ પટેલ, રામુ નારણ પટેલ, ભાવિન રમેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જે પૈકી બે મહિલાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને ભરૂચ સબજેલમાં મોકલી અપાયા છે. જ્યારે હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

संबंधित पोस्ट

સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરતાં લોકોએ ખાસ વાંચવા જેવુ – 40 વર્ષના યુવકના મોં અને નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું

Vande Gujarat News

જહાંગીરપુરી હિંસાની તપાસ માટે પોલીસની 14 ટીમોને સોંપવામાં આવી: CP રાકેશ અસ્થાના

Vande Gujarat News

રાજકોટના રૂખડીયામાંથી મળી આવી નવજાત બાળકી: પોલીસે નિષ્ઠુર માતા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

Admin

આતંકીઓની ટનલ શોધવા ભારતના જવાનો પાક.માં 200 મીટર સુધી અંદર ગયા હતા

Vande Gujarat News

એક એવી ટ્રેન જે 121 વર્ષથી પાટાની ઉપર નહીં પણ પાટા પર લટકીને ચાલે છે! કરવી છે મુસાફરી?

Vande Gujarat News

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Vande Gujarat News