Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsCrimeJaagadiya

ઝગડિયા ખાતે આવેલ ગુમાનદેવ મંદિરના મહંત ઉપર હુમલા કેસમાં પોલીસે 9 લોકોની કરી ધરપકડ, 28 ઓક્ટોબરે અકસ્માત સર્જાતા ટોળાએ મહંતને માર માર્યો હતો

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના મહંત ઉપર ટોળાએ કરેલા હુમલા પ્રકરણમાં છ દિવસ દરમિયાન પોલીસે ચાર મહિલા અને પાંચ યુવાનો મળી કુલ 9 લોકોની ધરપકડ કરી છે. ગત તારીખ 28 ઓક્ટોબરના વહેલી સવારના સમયે ગુમાનદેવ બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોતા ચાર વ્યક્તિઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ ઉપર હુમલો કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કુલ 8.80 લાખની રોકડ સહિતા મુદ્દામાલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ ગુમાનદેવ મંદિરના મહંતે ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.

આ બનાવના છ દિવસ બાદ ઝઘડિયા પોલીસે અત્યારસુધી ચાર મહિલા અને પાંચ યુવાનો મળી નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે મહંત ઉપર હુમલો કરવાના પ્રકરણમાં ઇચ્છાબેન કેશવ પટેલ, રેવાબેન સોમા પટેલ, ભાવનાહેન કિશોર પટેલ, કાશીબેન હસમુખ પટેલ, હર્ષદ શૈલેશ પટેલ, હિતેશ હસમુખ પટેલ, મયુર રમેશ પટેલ, રામુ નારણ પટેલ, ભાવિન રમેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જે પૈકી બે મહિલાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને ભરૂચ સબજેલમાં મોકલી અપાયા છે. જ્યારે હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

संबंधित पोस्ट

મોરબી ખાતે રેન્જ આઇજી સંદિપસિંહના વરદ હસ્તે નૂતન પોલીસ ચોકી તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્ટીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

भोपाल गैस कांडः 36 साल पहले की वो भयावह रात, जिसने लील ली हजारों जिंदगी

Vande Gujarat News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમનો શુભારંભ કરાયો

Vande Gujarat News

ભારત દેશ ની આઝાદી ના ૭૫ માં વર્ષે “આઝાદી ના અમૃત મહોત્સવ” ની ઉજવણી ના ભાગરૂપે “હર ઘર તિરંગા ” અભિયાન ને વેગ મળે એ અભિગમથી,કૃપાબેન દોશી દ્વારા.. ૨૫૦ વિદ્યાર્થીઓને ,શાળામાં આવતા વાહનચાલકોને, અને સ્ટાફપરિવાર ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું

Vande Gujarat News

ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ કર્લોન એન્ટરપાઈઝ કંપનીમાં લાગી ભીષણ આગ…

Vande Gujarat News

મધ્યપ્રદેશથી મોટરસાયકલ પર નીકળેલ પરિક્રમાવાસીઓનું નવેઠા ખાતે જિલ્લાના સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે કર્યું સ્વાગત

Vande Gujarat News