Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsCrimeJambusar

યુવાધન નશાના રવાડે ના ચઢે તે માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસે 7 કિલો 962 ગ્રામના ગાંજા સાથે જંબુસરના પીલુદરા ખાતેથી એક ઈસમની કરી ધરપકડ

જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના યુવાનો નશાના રવાડે ના ચડે તે માટે જિલ્લા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકે એવા શુભ આશયથી સતત બાતમીદારોને સંપર્કમાં રહી ભરૂચ જિલ્લા પોલીસ નશાનો કારોબાર કરતા ઇસમોને ઝડપી રહી છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર શકોરીયા અને તેઓની ટીમ ના માણસો સાથે રાખી એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને જંબુસર વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઇશ્વરભાઇ ના ઓને બાતમી મળી હતી કે જંબુસરના પીલુદરા ગામ કેનાલ ચોકડી નજીક રહેતા શીવાભાઈ ભીમસંગભાઈ પરમાર તેમના ઘરેથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો વેપાર કરે છે. બાતમીના આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા શીવાભાઈ ના ઘરે છાપો મારતા તેના ઘરમાંથી ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો ફુલ જથ્થો 7 કિલો 962 ગ્રામ કિંમત રૂપિયા 48,572 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ. આરોપી શીવાભાઈ પરમાર ઉપર એન.ડી.પી.એસ એકટ ની કલમો હેઠળ વેડચ પોલીસ સ્ટેશનમાં ગુરુ દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી મંડોરા એસ.ઓ.જી ભરૂચ ચલાવી રહેલ છે.

સમગ્ર રેઇડ દરમ્યાન પોલીસ અધિકારી પીએસઆઇ એન.જે ટાપરિયા, પીએસઆઇ એમ.આર. શકોરીયા સહિત હે.કો. રવિન્દ્રભાઈ નુરજીભાઈ, હે.કો. ગીરીશભાઈ જેઠાભાઈ, હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ, પો.કો. સુરેશભાઈ રામસિંગભાઈ, પો.કો. ગુફરાન મોહમ્મદ આરીફ, પો.કો. શૈલેષભાઈ ઇશ્વરભાઇ, પો.કો. વિનોદભાઈ રણછોડભાઈ અને પો.કો. પ્રહલાદસિંહ દાનુભાએ પોતાની ફરજ બજાવી હતી.

संबंधित पोस्ट

સુરત: સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ બે ભેજાબાજોએ લાખો પડાવ્યા, બિહારથી ઝડપાયા

Admin

राशिफल 27 जुलाई: आज इन राशिवालों को रहना होगा सावधान, संभलकर करें निवेश

Admin

કચ્છી માડુ ‘કૌન બનેગા કરોડ પતિ’માં 50 લાખ જીત્યા, કચ્છને ત્રણ એમ્બ્યુલન્સ આપી દાનમાં

Vande Gujarat News

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક કારની ટક્કરે મહેસાણાના બાઇક ચાલક યુવકનુ મોત નિપજ્યું

Admin

સુરત: પાંડેસરામાં ધુળેટીના દિવસે અસામાજિક તત્વોનો આતંક, તલવાર-ચાકુ વડે સ્થાનિકો પર હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ

Admin

કળિયુગના દાનવીર કર્ણ બન્યા ડૉ અરવિંદ ગોયલ, જીવનભરની કમાણી 600 કરોડ રૂપિયા ગરીબોને દાનમાં આપી દીધી

Vande Gujarat News