Vande Gujarat News
Breaking News
BharuchBJPBreaking NewsCongressElection

કોરોના કાળમા સામાન્ય સભા બોલાવવાની વિપક્ષની જીદ ખોટી, અગાઉ અ(પદા)ધિકારીઓ અને કર્મચારીઓ થયા હતા કોરોનાથી સંક્રમિત, સામાન્ય સભા બોલાવવા થી જોખમાઈ શકે છે લોકોના જીવ

આવનાર સમયમા ચુંટણી આવતી હોવાથી ખોટા મુદ્દા ઉઠાવી મને ટાર્ગેટ બનાવામાં આવે છે – સુરભિબેન તમ્બાકુવાલા, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ જનતા પ્રશ્નો અને શહેરના બાકી રહેલા કામો અંગે ચર્ચા વિચારણા કરવા સામાન્ય સભા બોલવવા શાસક પક્ષને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.ત્યાર બાદ શાસક પક્ષે કોરોના મહામારીથી સભ્યો અને પાલિકાના કર્મીઓ અને અધિકારીઓ કોરોનાગ્રસ્ત થયા હોવાના કારણે સામાન્ય સભા નહીં બોલાવી સર્ક્યુલર સભાના એજન્ડાઓ વિપક્ષના સભ્યોને મોકલી આપ્યા હતા. આ સર્કયુલર સભાનો વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવી સહી નહીં વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપો કર્યા હતા કે, પ્રમુખ પાલિકામાં બહારની પબ્લિક બોલાવીને કાર્યક્રમો કરી શકતા હોય તો સામાન્ય સભા કેમ નથી બોલવતા તે પણ લોક ચર્ચાનો વિષય બન્યો છે.

વિપક્ષે આપેલા 72 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતા દરેક સભ્યોએ હાજર રહીને શનિવારે સવારે 11 કલાકે શહેરની જનતાને તેમના વિસ્તારના પ્રશ્નો અને કામો લઈને જનતા સભામાં હાજર રહેવા જણાવ્યું છે.જયારે બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે,સભ્યો અને કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સર્કયુલર ઠરાવ કર્યો છે,પ્રથમ વખત અમે સર્કયુલર ઠરાવ કર્યો નથી, અગાઉ પણ તેમણે સર્ક્યુલર સભાના એજન્ડાઓ મંજુર કર્યા છે. હું મહિલા પ્રમુખ હોવાના કારણે મને ટાર્ગેટ બનાવામાં આવે છે. જોકે આગામી સમયમાં ચૂંટણી આવતી હોવાથી ખોટા મુદ્દાઓ ઉઠાવી રહ્યાં છે.

संबंधित पोस्ट

ભરૂચ શહેર કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, અસંતુષ્ટ સિનિયર અને માજી હોદ્દેદારોએ બોલાવી મિટિંગ

Vande Gujarat News

ભારત દેશ ની આઝાદી ના ૭૫ માં વર્ષે “આઝાદી ના અમૃત મહોત્સવ” ની ઉજવણી ના ભાગરૂપે “હર ઘર તિરંગા ” અભિયાન ને વેગ મળે એ અભિગમથી,કૃપાબેન દોશી દ્વારા.. ૨૫૦ વિદ્યાર્થીઓને ,શાળામાં આવતા વાહનચાલકોને, અને સ્ટાફપરિવાર ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું

Vande Gujarat News

અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રવીણભાઈ પટેલ ના જન્મદિવસની અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ના સ્થાપના દિવસની ઉજવણી ભરૂચ સિવિલ હોસ્પિટલની સેવાયજ્ઞ સમિતિ ખાતે કરવામાં આવી…

Vande Gujarat News

विधान परिषद्: मनोनयन के लिए केंद्रीय नेतृत्व को बीजेपी ने भेजे नाम

Vande Gujarat News

જમીન મહેસૂલના 10 કેસો પૈકી 3 દફતરે,7 પર નિર્ણય

Vande Gujarat News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂજ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્મિત ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

Vande Gujarat News