Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsDahejHansotTechnology

ભાડભૂત કોઝવેનો વિરોધ, નર્મદા કિનારાના માછીમારોને એક દિવસ બંધ પા‌ળવા આહવાન, 8મીએ માછીમાર સમાજનું નિર્ણય સંમેલન

નર્મદા કિનારાના માછીમારોને એક દિવસ બંધ પા‌ળવા આહવાન

ભરૂચ નર્મદા નદીમાં છેલ્લા ઘણા સમયથી ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી નહિ છોડાતા નદીના પાણી ખારા બની જતાં હિલ્સા માછલીની આવકમાં ઘટાડો થતાં માછીમારો બેકારી સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ સરકારે ભાડભુત નજીક નર્મદા નદીમાં વિયર કમ કોઝવે બનાવવાની જાહેરાત કરી દેતાં માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે. માછીમાર સમાજના લોકોમાં એવો ભય છે કે,વિયર કમ કોઝવે બનવાથી દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટતાં માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાશે.

સરકારે વિયર કમ કોઝવેની જમીન સંપાદનની કામગીરી ઝડપી બનાવી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજે 8મી નવેમ્બરે ભાડભુત ગામમાં માછીમાર નિર્ણય સંમેલનનું આયોજન કર્યું છે. આ દિવસે ભાલોદ, ઝનોર થી કલાદરા સુધી નર્મદા નદીના બન્ને કાંઠેના વિસ્તારોમાં માછીમારી કરવા જવા જતાં માછીમારોને એક દિવસ માછીમારી બંધ રાખી સંમેલનમાં હાજર રહેવા અપીલ કરી છે.

संबंधित पोस्ट

કર્ફ્યૂનો અમલ:અમદાવાદના ઘાટલોડિયામાં 9 વાગ્યા પછી નીકળેલા 100થી વધુ ટુ-વ્હીલર ડિટેઈન

Vande Gujarat News

ગુજરાતની એસટીને સૌથી સલામત બસ સેવાનો એવોર્ડ, 1 લાખ કિમીએ સૌથી ઓછા અકસ્માત

Vande Gujarat News

જંબુસર સરસ્વતી વિદ્યા મંદિરમાં વિવિધ પ્રકલ્પોનો અનાવરણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

ભરૂચ એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દુ ધર્મસેના દ્વારા વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોમાં જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવીને ખુબ સરહાનીય કામગીરી કરી

Vande Gujarat News

નર્મદા ક્લીન ટેક નવેમ્બર 2021 સુધીમાં જીપીસીબી અને પ્રદૂષણની મંજૂરીની શરતોનું પાલન કરશે…

Vande Gujarat News

सरकार-किसानों में नहीं बनी बात तो SC ने संभाली कमान, आज साफ होगी कमेटी की तस्वीर

Vande Gujarat News