Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsJaagadiyaNetrang

નેત્રંગમાં ધરતીકંપના આંચકાથી ફફડાટ, ભૂકંપનું કેન્દ્રબિંદુ નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ, ભૂકંપની તીવ્રતા ૪.૨ નોંધાઇ

અચાનક ધરા ધ્રુજવાથી રહીશો ઘરની બહાર નીકળી આવ્યા,કોઇ જાનહાની બનાવ નહીં,

નેત્રંગમાં ધરતીકંપના ભયંકર આંચકાથી ફફડાટ મચી જવા પામ્યો હતો,

દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે સહિત સમગ્ર વિસ્તારમાં સાંજના ૩ : ૪૫ કલાકના સમયે જનજીવન રાબેતામુજબ ચાલી રહ્યું હતું. જે દરમ્યાન અચાનક ધરતીકંપના ભયંકર આંચકો અનુભવાતા અને પગ નીચેથી જમીન હલવા માંડી હતી. જાણેે મોટી હોનારતની ઘટના સજૉય હોય તેવું અનુભવાતા રહીશો પોતાની જાનની સલામતી માટે ઘરની બહાર નીકળી આવ્યા હતા,રોડ-રસ્તા ઉપર ચાલતો વાહનવ્યવહાર એકાએક થંભી ગયો હતો. રહીશોમાં ભયનો માહોલ જણાતા પોતાના પરીવારના સભ્યો અને સગા-સબંધીઓને ટેલિફોનીક માધ્યમથી ધરતીકંપના બાબતેે પુછપરછ કરી હતી,.

નેત્રંગ તાલુકામાં ધરતીકંપનો આંચકો ૨- ૩ સેકન્ડ સુધીનો હોવાનું જાણવા મળ્યું હતું,ભૂકંપનું કેન્દ્રબિંદુ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા માલપોર ગામ ખાતે અને ભૂકંપની ૪.૨ તીવ્રતા હોવાનું જાણવા મળ્યું હતું,જે ભરૂચ જીલ્લા મથકથી દક્ષિણ દિશા તરફ ૩૬ કિમી દુર છે. આ બાબતે જવાબદાર લોકોએ સંવાદમાં જણાવ્યું હતું કે. નેત્રંગ તાલુકામાં ધરતીકંપનો આંચકો રહીશોને અનુભવાયો છે. પરંતુ સદનસીબે કોઇપણ પ્રકારના હોનારત,જાનહાનિ કે નુકસાન થયું નથી તેવું જાણવા મળ્યું હતું.

 

संबंधित पोस्ट

અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક ONGCના CTF પ્લાન્ટમાં ઝેરી ગેસ ગળતરથી ભાગદોડ

Vande Gujarat News

અંકલેશ્વરમાં ત્રીજા દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્ષ અત્યંત ખરાબ, GPCB પ્રદુષણ ઘટાડવા પગલાં ભરે તેવી માંગ

Vande Gujarat News

बलूचिस्तान में अल्पसंख्यक शिया हजारा समुदाय के 11 मजदूरों की गोली मारकर हत्या

Vande Gujarat News

ઇટલીના દંપતિએ માઇક્રોસેફાલીથી પિડાતા 2 વર્ષના બાળકને દત્તક લીધું

Vande Gujarat News

ભરૂચ સિવિલમાં પાણીના કુલર બંધ દર્દીઓ વેચાતું પાણી પીવા મજબૂર

Vande Gujarat News

ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન અંકલેશ્વર પોલીસે સાથે માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકાર્યો

Vande Gujarat News