Vande Gujarat News
Breaking News
Breaking NewsBusinessDharmVadodara

કોરોના એ પુષ્ય નક્ષત્રમાં સોનાને લગાડ્યું ગ્રહણ, સોનાના વેચાણમાં આવી ઓટ

દિવાળી પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે કોરોના મહામારી વચ્ચે આવી રહેલી દિવાળીનાં તહેવારોમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ આવે તેમ લાગી રહ્યું છે.

આજે ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. પરંતુ વર્ષના અંતિમ ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે આ વખતે કોરોનાની દહેશત અને સોના-ચાંદીના આસમાને પહોંચી ગયેલા ભાવને પગલે રૂપિયા ૧૨ થી ૧૫ કરોડનું સોનુ અને રૂપિયા બે થી ત્રણ કરોડનું ચાંદી વેચાય તેવી શક્યતાઓ છે.


વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સ ના ઋષિકેશ ગણદેવીકરે જણાવ્યું હતું કે કોરોના ના કારણે બજારમાં 50% પણ ઘરાકી નથી. જેનું મુખ્ય કારણ કોરોનાની મહામારી અને સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવ છે. આ વખતે સોનાના ભાવ એક તોલાના સોનાના ભાવ રૂ 55000 છે જ્યારે ચાંદી ના ભાવ પ્રતિ કિલોના રૂપિયા 67,000 છે જે ગત વર્ષની સરખામણીમાં બમણા છે.

પરંતુ આ વખતે કોરોનાની દહેશતના કારણે ગ્રાહકો ઘરની બહાર નીકળ્યા નથી. બીજું કારણ સોના ચાંદીના ભાવ વધુ હોવાથી પણ ઘરાકી પર તેની અસર જોવા મળે છે. આજે બપોર સુધીમાં સોનુ અંદાજે ૩ કરોડનું વેચાણ થયું છે અને ચાંદીનુ ૧ કરોડનુ વેચાણ થયું છે. સાંજે ઘરાકી નીકળે તેવી શક્યતાઓ છે. તેમ છતાં સોનુ 15 કરોડ અને ચાંદી બેથી ત્રણ કરોડની વેચાણ થાય તેવી સ્થિતિ છે.

संबंधित पोस्ट

રાહુકાળમાં કરેલા આ 5 કામ ક્યારેય સફળ થતા નથી, પરંતુ આ દરમિયાન ભોલેનાથની પૂજા કરવાથી આ દોષ દૂર થાય છે.

Admin

વાપી GIDC માં 3 કંપનીઓમાં આગને કારણે મેજર કોલ જાહેર કરાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

Admin

કેશુભાઈ પટેલનું નિધન : ગુજરાત ભાજપાની પેટા ચૂંટણી સંબંધિત બધી જાહેર સભા કે પ્રચાર કાર્ય મૌકૂફ, મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ કેશુભાઈ પટેલ ના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

Vande Gujarat News

ખાખીએ રંગ રાખ્યો : ભરૂચ પોલીસનાં આ જાંબાઝ અધિકારીઓએ લૂંટારૂઓના અંધાધૂંધ ફાયરિંગનો હિંમતભેર સામનો કરી લૂટારૂઓને ઝડપી પાડયા

Vande Gujarat News

ભરૂચમાં આજથી વેક્સિનેશન શરૂ, 3 કેેન્દ્ર પર 300 આરોગ્ય કર્મીઓનેે રસી અપાશે

Vande Gujarat News

વિશ્વ વિખ્યાત રાઈફલ AK-47નું આ સૌથી મોટું રહસ્ય હજુ પણ છે અકબંધ, જાણો !

Vande Gujarat News