Vande Gujarat News
Breaking News
Breaking NewsBusinessDharmVadodara

કોરોના એ પુષ્ય નક્ષત્રમાં સોનાને લગાડ્યું ગ્રહણ, સોનાના વેચાણમાં આવી ઓટ

દિવાળી પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે કોરોના મહામારી વચ્ચે આવી રહેલી દિવાળીનાં તહેવારોમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ આવે તેમ લાગી રહ્યું છે.

આજે ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. પરંતુ વર્ષના અંતિમ ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે આ વખતે કોરોનાની દહેશત અને સોના-ચાંદીના આસમાને પહોંચી ગયેલા ભાવને પગલે રૂપિયા ૧૨ થી ૧૫ કરોડનું સોનુ અને રૂપિયા બે થી ત્રણ કરોડનું ચાંદી વેચાય તેવી શક્યતાઓ છે.


વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સ ના ઋષિકેશ ગણદેવીકરે જણાવ્યું હતું કે કોરોના ના કારણે બજારમાં 50% પણ ઘરાકી નથી. જેનું મુખ્ય કારણ કોરોનાની મહામારી અને સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવ છે. આ વખતે સોનાના ભાવ એક તોલાના સોનાના ભાવ રૂ 55000 છે જ્યારે ચાંદી ના ભાવ પ્રતિ કિલોના રૂપિયા 67,000 છે જે ગત વર્ષની સરખામણીમાં બમણા છે.

પરંતુ આ વખતે કોરોનાની દહેશતના કારણે ગ્રાહકો ઘરની બહાર નીકળ્યા નથી. બીજું કારણ સોના ચાંદીના ભાવ વધુ હોવાથી પણ ઘરાકી પર તેની અસર જોવા મળે છે. આજે બપોર સુધીમાં સોનુ અંદાજે ૩ કરોડનું વેચાણ થયું છે અને ચાંદીનુ ૧ કરોડનુ વેચાણ થયું છે. સાંજે ઘરાકી નીકળે તેવી શક્યતાઓ છે. તેમ છતાં સોનુ 15 કરોડ અને ચાંદી બેથી ત્રણ કરોડની વેચાણ થાય તેવી સ્થિતિ છે.

संबंधित पोस्ट

આંદોલન : અંકલેશ્વર DGVCL કચેરીના કર્મીઓનું પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયુ

Vande Gujarat News

વાલીનું કોરોનામાં મૃત્યુ થયું હશે તો બાળક ભણે ત્યાં સુધી ફી માફ – વર્કિંગ માતા કે પિતા બંનેમાંથી કોઈ પણ

Vande Gujarat News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

ભારતમાં 5G કનેક્ટિવિટી પ્રદાન કરવામાં એરટેલ અવ્વલ રહેશે: સુનીલ મિત્તલ

Vande Gujarat News

नियम तोड़कर मिला था प्रमोशन, इन चार अफसरों को योगी सरकार ने बनाया चपरासी-चौकीदार

Vande Gujarat News

12 ઓગસ્ટ વિશ્વ સંસ્કૃત દિવસ: SoU રેડિયો યુનિટી 90 FMની નવતર પહેલ, સંસ્કૃત દિવસ પર આખો દિવસ રેડિયો યુનિટી પર સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે

Vande Gujarat News