Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsHealth

અંકલેશ્વરમાં જયાબહેન મોદી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાં OPD પુન: શરૂ થશે

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ કોરોનાની સારવાર માટે ફાળવી હતી

અંકલેશ્વર વાલિયા રોડ સ્થિતિ જયાબહેન મોદી હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર માટે જિલ્લાવહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલથી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરી હતી. છેલ્લા 6 મહિના ઉપરાંતથી માત્ર કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી હતી. જિલ્લામાં 1000થી વધુ દર્દીની સફળતા પૂર્વક સારવાર અત્યાર સુધી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે.

જિલ્લા કોવિડ દર્દી ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે. જે વચ્ચે અંકલેશ્વરમાં જયાબહેન મોદી હોસ્પિટલમાં સંચાલક મંડળએ ફરી તમામ પ્રકારના રોગો ઈલાજ માટે હોસ્પિટલ શરૂ કરવા જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપતા હવે આગામી સોમવાર થી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે કોવિડ-19 ના દર્દી ઉપરાંત તમામ પ્રકરણ અસાધ્ય રોગો ની સારવાર અને નિદાન માટે ઓપીડી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી રહી છે.

કોરોના દર્દીઓની સારી એવી કામગીરી કર્યા બાદ લોકોની માંગણી ના ભાગરૂપે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકોના સામાન્ય તેમજ ગંભીર રોગોના ઈલાજ માટે જયાબેન મોદી હોસ્પિટલ સંપૂર્ણ શરૂઆત કરી રહી છે. જે પૂર્વે હોસ્પિટલ ખાતે સેનિટાઝાર, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ અન્ય તમામ પ્રકારની તકેદારી લઇ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ ને તેમના સંબંધીઓ ની સ્કીંઈગ સહીત ની સુવિધા પણ કરવામાં આવી છે.

જેમાં કોઈ શકાસ્પદ કોવિડ દર્દી નજરે પડે તો તેને હોસ્પિટલ ખાતે જ અલાયદા ઉભા કરેલા કોવીડ વોર્ડ માં રીફર કરી તેની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ ને તેમના સંબંધીઓ ની સ્કીંઈગ સહીત ની સુવિધા પણ કરવામાં આવી છે. જેમાં કોઈ શકાસ્પદ કોવિદ દર્દી નજરે પડે તો તેને હોસ્પિટલ ખાતે જ અલાયદા ઉભા કરેલા કોવીડ વોર્ડ માં રીફર કરી તેની સારવાર કરવામાં આવશે.

50 બેડનો અલાયદો વોર્ડ ચાલુ જ રહેશે
હોસ્પિટલ ખાતે એક આખો અલગ વોર્ડ 50 બેડનો કોવિડ વિભાગ માટે કરવામાં આવ્યો છે જેની એન્ટ્રી અને એક્ઝિટ પણ અલગ રાખવામાં આવી છે. જેનું સરકાર હસ્તકની આરોગ્ય ટીમ સંચાલક કરશે જયારે બાકી હોસ્પિટલમાં જયાબહેન મોદી પોતાની મૂળ તમામ આરોગ્ય લક્ષી સુવિધા શરૂ કરી રહી છે. > કમલેશ ઉદાણી,હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના સભ્ય

संबंधित पोस्ट

બરોડા ડેરીની ડિરેક્ટરોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના આજે છેલ્લા દિવસે બરોડા 48 જેટલા ઉમેદવારોએ નોંધાવી પોતાની ઉમેદવારી

Vande Gujarat News

કંબોડીયા ગામે તબેલામાં આગથી ૯ ગાય,૮ વાછરડા અને ૧ ઘોડીનું બળી જતાં કરૂણ મોત નિપજ્યું ૧૮ પશુઓના મોટ નિપજ્યા હતા, નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંઘે નુકસાનના વળતર માટે મુખ્યમંત્રીને લેખિત રજુઆત

Vande Gujarat News

ब्रिटेन : कोरोना के नए प्रकार के कारण यूके में सभी प्रकार के ट्रैवल कॉरिडोर बंद

Vande Gujarat News

आखिर कैसे बंद हो गई इतिहास की सबसे ताकतवर ईस्ट इंडिया कंपनी? हैरान कर देगा इतिहास

Vande Gujarat News

લઠ્ઠાકાંડ :- CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા અત્યાર સુધીના સૌથી મોટા આદેશ, ગૃહરાજ્યમંત્રી અને DGP આવ્યા હરકતમાં 

Vande Gujarat News

पाकिस्‍तान ने भारत में बनी कोरोना वैक्‍सीन के आपात् इस्‍तेमाल को दी मंजूरी

Vande Gujarat News