



વર્ષ 2013 માં મહાનારાયન પાંડે અંકલેશ્વર નોકરી અર્થે જવા માટે ફિરોજપુર જનતા એક્સપ્રેસ ટ્રેન માં વડોદરા રેલવે સ્ટેશને થી બેઠા હતા.ટ્રેન સ્ટેશને થી ઉપડે તે પેહલા મહાનારાયન પાંડે ને છાતી ના ભાગે અસહ્ય દુખાઓ ઉપાડતા સાથે મુસાફરી કરતા અન્ય મુસાફરો એ દર્દી ને તાત્કાલિક સારવાર આપવા રેલવે અધિકારીઓ પાસે મદદ માંગી હતી પરંતુ રેલવે તંત્ર એ તાત્કાલિક સારવાર આપવાના બદલે વડોદરા રેલવે સ્ટેશને થી ટ્રેન ને રવાના કરી હતી.અને 45 મિનિટ બાદ કરજણ રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રાખી દર્દીને એમ્બ્યુલન્સ માતફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ માં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરો એ મહાનાયક પાંડેને મૃત ઘોષિત કર્યા હતા.રેલવે તંત્રની બેદરકારી સામે આવતા મૃતકના પત્ની એ ગ્રાહક સુરક્ષા ફોરમ માં દાદ માંગતા ગ્રાહક કોર્ટે ફરજ માં બેદરકારી દાખવવા બદલ રેલવે તંત્રના વડોદરા ડિવિઝન ને 8 લાખ 86 હજાર 765 રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે.