Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsBusinessGovt

ભરૂચમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સખી મીઠાઈ સ્ટોલનો શુભારંભ – ભરૂચ નગર પાલિકાના પ્રયત્નોથી સખી મંડળોની બહેનો બનશે આત્મનિર્ભર

ભરૂચ નગરપાલિકાના પ્રયત્નોથી આગામી દિવસોમાં આવનાર દિવાળી અને નવાવર્ષના પર્વમાં આ સખી મંડળની બહેનોએ પાંચબત્તી ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સખી મીઠાઈ અને નમકીનના રાહત દરનો સ્ટોલ ચાલુ કરવામાં આવ્યો છે.

આ સ્ટોલનો સોમવારના રોજ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા,મુખ્ય અધિકારી સંજય સોની અને સમાજ સંઘઠક કલ્પના ઉપાધ્યાયના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે મંડળના આગેવાન જીજ્ઞસા ગોસ્વામી, કિન્નરી બારોટ અને નીમા દાનાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા મંડળની બહેનો મીઠાઈ અને નમકીનમાંથી જે અવાક થશે તેનાથી પગભર થઈને તેમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરનાર છે.

ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ નાની-મોટી આર્થિક પ્રવૃત્તિઓ કરીને પગભર થઈને આજીવિકા રળીને સ્વયંને તથા તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તે હેતુસર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગુ કરવામાં આવી હતી.આ યોજના અંતર્ગત સખીમંડળને રૂા.1 લાખની લોન શૂન્ય ટકાના વ્યાજે આપવાનું આયોજન છે.દરેક જિલ્લાઓમાં આવેલા સખી મંડળની બહેનોને ઝીરો ટકા વ્યાજે બેંકો સાથે થયેલા એમઓયુ થકી લોન લઈને પોતાના મંડળની મહિલાઓને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર કરી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં બહાદુર બુરજ વિસ્તારમાં 4 વર્ષથી કાર્યરત સખી મંડળ દ્વારા પણ મંડળની બહેનોને પગભર કરવા અનેક કર્યો કરવામાં આવે છે.

 

संबंधित पोस्ट

कोरोना के नए स्ट्रेन से यूके में दहशत, टीचर्स यूनियन की मांग- दो हफ्ते और बंद रखे जाएं स्कूल

Vande Gujarat News

35 દિવસમાં સટ્ટાના 68 કેસ નોંધાયા, અત્યાર સુધી 100 બુકીની ધરપકડ કરવામાં આવી, ઓનલાઇન સટ્ટો રમવાનો ક્રેઝ વધ્યો, જાહેર સ્થળે, પાર્કિંગ પ્લોટ, પાનના ગલ્લા પર સટ્ટો રમાડવાની બુકીઓની પહેલી પસંદ

Vande Gujarat News

રાષ્ટ્રપતિ પદ માટે એન.ડી.એ.ના ઉમેદવાર દ્રોપદી મુર્મુ ગુજરાતના વિધાયકો નું સમર્થન મેળવવા ગુજરાતમાં

Vande Gujarat News

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયા દ્વારા શેરડી કાપણી માટે સુગરકેન હાર્વેસ્ટર અને ઇન્ફીલ્ડર મશીન કાર્યરત કરવામાં આવ્યું.

Vande Gujarat News

ઘર ખર્ચની બચતમાંથી લીધેલા સોનાના દાગીનાની લૂંટ થઇ જતા લોકો ચિંતિત : 25 જણે ફોન રણકાવ્યાં

Vande Gujarat News

આગામી સપ્તાહમાં અરવિંદ કેજરીવાલ બે વખત સોમનાથ આવશે ,

Vande Gujarat News