Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtIndiaNationalWorld News

પડોશીઓની સરહદોને સન્માન આપવાનું શીખો : મોદીનો પાક-ચીનને સ્પષ્ટ સંદેશ – શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ઓનલાઈન બેઠક

એસસીઓના સભ્ય દેશો સંવાદ દ્વારા વિવાદ ઉકેલે : જિનપિંગ

કાશ્મીરમાં ભારતે લીધેલાં પગલાં સામે ઈમરાન ખાનનો વિરોધ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની ઓનલાઈન બેઠક આજે શરૂ થઈ હતી. આ સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન સહિત આઠ દેશો છે. એ બેઠકને ઓનલાઈન સંબોધતા મોદીએ ચીન અને પાકિસ્તાનને સખણા રહેવા સલાહ આપી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે અન્ય દેશોની સરહદોને સન્માન આપો અને તેની એકતા-અખંડિતાનો આદર કરો. એ વખતે પાકિસ્તાનના ઈમરાન ખાન અને ચીનના ઝિનપિંગ ઓનલાઈન બેઠકમાં હાજર જ હતા. ભારત-ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે મોદી-ઝિનપિંગ કોઈ બેઠકમાં મળ્યા હોય.

મોદીએ કહ્યુ હતુ કે ભારત અન્ય દેશોની એકતા અને અખંડિતતાને માન આપે છે અને અન્ય દેશો પણ આપે એવી અપેક્ષા રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત હંમેશા દરેક સમસ્યા વાટાઘાડો વડે ઉકેલવામાં માને છે. આ બેઠકની અધ્યક્ષતા રશિયન પ્રમુખ પુતિને લીધી હતી. પુતિને કહ્યું હતું કે અમે બે રસી બનાવી છે અને ત્રીજી તૈયાર થઈ રહી છે. તૈયાર થયેલી બન્ને રસી સલામત છે, માટે તેના નામે અન્ય દેશોએ રાજકારણ ન રમવું જોઈએ.

ચીની પ્રમુખ ઝિનપિંગે કહ્યુ હતુ કે એસસીઓના સભ્ય દેશો વિવાદનો ઉકેલ સંવાદ દ્વારા લાવે એ જરૂરી છે. જોકે તેમની આ વાતનું તેઓ પોતે જ પાલન કરતા નથી, એ વાત જગજાહેર છે. પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને કાશ્મીરમાં ભારતે હટાવેલી કલમ 370 સામે અહીં પણ વાંધો રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે બળજબરી પૂર્વક કોઈ પ્રદેશ પોતાનામાં ભેળવી દેવાની કાર્યવાહીનો પાકિસ્તાન હંમેશા વિરોધ કરે છે. ઈમરાને ઉમેર્યું હતંું કે આવા પગલાઓથી શાંતિ જોખમાય છે. ટૂંકમાં કાશ્મીરમાં ભારતના પગલાથી ડરી ગયેલા ઈમરાને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો ડર રજૂ કર્યો હતો.

संबंधित पोस्ट

PIની સ્પર્ધાત્મક પરીક્ષામાં 55 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યાં

Vande Gujarat News

ધૂળની ઉડતી ડમરીઓથી ૩૯ જેટલા છોકરાઓને અસ્થમા થયો હોવાનો રહીશોનો આક્ષેપ, અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના લોકોએ રાજપીપળા ચોકડીથી રોડ બંધ કરતાં વિવાદ

Vande Gujarat News

મોરબી ખાતે રેન્જ આઇજી સંદિપસિંહના વરદ હસ્તે નૂતન પોલીસ ચોકી તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્ટીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

अयोध्या में श्रद्धालुओं के लिए चलेंगी इलेक्ट्रिक कार्ट, विश्वस्तरीय होंगी सुविधाएं

Vande Gujarat News

कांग्रेसः शक्ति सिंह गोहिल को बिहार के प्रभार से मुक्ति, दिल्ली की जिम्मेदारी बरकरार

Vande Gujarat News

અંકલેશ્વરના પાનોલીની ઓસ્કાર હોટલ પાછળ પ્રદુષિત પાણી જાહેરમાં ઠલવાતા સ્થાનિકોમાં રોષ

Vande Gujarat News