



દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતા. ૭૦ ઇંચ કરતાં વધુ વરસાદ ચોમાસાની સિઝનમાં પડતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવી જવા પામી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાથી ભારે નુકસાન થયાના પણ અહેવાલ મળ્યા છે. જેમાં નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાના જાંબુડા ગામે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ધોધમાર વરસાદની સાથે વીજળી પડતાં શુક્લીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૫) અને બે બળદના ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો અનેે ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આ બાબતે ગ્રા.પંચાયત,નેત્રંગ તાલુકા પંચાયતના સતાધીશો અને સરકારીતંત્રેે જરૂરી કાર્યવાહી હાથધરી મૃતક પરીવારની મહિલાના પરીવારના સભ્યોને આથિૅક સહાયતા આપવાની કામગીરી હાથધરી હતી. જેમાં મૃતક મહિલાના પતિ મગનભાઇ વસાવાને નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા,નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અલ્પનાબેન નાયર,કારોબારી પ્રમુખ મગનભાઈ વસાવાના હસ્તે રૂ. ૪,૫૦,૦૦૦ (ચાર લાખ પચાસ હજાર) ના ચેકનું વિતરણ કરી સહાયતા આપી હતી.