



અંકલેશ્વરની હવાની ગુણવત્તા વધુ કથળી ગઈ હોવાનું જોવા મળ્યું છે 2 દિવસ ઓરેન્જ ઝોન માં એર ક્વોલીટી ઈન્ડેક્ષ આંક પ્રથમ 239 અને ત્યારબાદ વધી 269 પર પહોંચી ગયો હતો જે એકદમ વધી જતા 320 એકયુઆઈ નોંધાયો છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના માપદંડ મુજબ 0.થી 50 ગુડ, 51થી 100 સેટિસ્ફાઇડ,101 થી 200 મોડરેટ અને 201 થી 300 વચ્ચે પૂવર અને 300 થી 400 વચ્ચે અત્યંત પૂવર તતેમજ 400 થી 500 વચ્ચે અતિ ગંભીર ઝોન કહેવાય છે જેમાં હાલ અંકલેશ્વરનો ઈન્ડેક્ષ 5માં ચરણમાં પહોંચતા અતિ ગંભીર સ્થિતિમાં જે વોર્નિગ લેવલ વટાવી ગંભીર સ્થિતિમાં પહોંચેલ એર કોલેટી ઈન્ડેક્ષ રેડ ઝોન માં આવી ગયું છે. જે માનવ સ્વસ્થ તેમજ પર્યાવરણ માટે નુકશાન કરાર છે. તે માટે આગામી દિવસો માં જો જીપીસીબી પગલાં નહિ ભરે તો દિલ્હી કરતા ખરાબ હવા પ્રદુષણ ની માત્રા પહોંચી શકે છે. માત્ર 3 દિવસ માં 3 ઝોનની લાંબી છલાંગ લગાવી એ.ક્યુ.આઈ 320 પર પહોંચી ગયો છે. તો દિવસે દિવસે વધી રહેલા હવા પ્રદુષણને લઇ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.