Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsGujaratHealthPollution

અમદાવાદ નજીક ચોસર ગામમાં કોઈ છોકરી આપતું નથી: પ્રદૂષણથી લોકો ત્રાહિમામ બન્યા, તંત્ર બેદરકાર

અવારનવાર શહેરને સ્માર્ટસિટી બનાવવા માટેની વાતો થાય છે પરંતુ શહેરની આસપાસ વસતા અનેક લોકોની સમસ્યાઓનો નીવેડો આવવાના બદલે ધીમે ધીમે વધી રહી છે. અમદાવાદ શહેરની આજુબાજુના છેવાડાના ગામમાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા તો છે જ પણ આ પ્રદુષિત પાણીના પાપે બીજી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રદુષિત પાણીને કારણે ખેતી નિષ્ફળ ગઈ છે.

આ ઉપરાંત ગામના લોકોને ચામડીનો રોગ થઈ ગયો છે. બીજી તરફ ગામમાં વાંઢાઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદના રિંગરોડ પર ખારી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને કારણે જમીનની ફળદ્વુપતા સામે પ્રશ્ન ઊભો થયો છે. બોરમાં પણ પ્રદુષિત પાણી આવી રહ્યું છે. જેનાથી ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.

સાથોસાથ લોકો ચામડીના રોગના શિકાર બની રહ્યા છે. ગામના અનેક લોકોને પગમાં ફોલ્લીઓ થઈ ગઈ છે. કેમિકલને કારણે પગમાં ફૂગ ચડી જાય છે. તબીબોએ પણ જણાવ્યું હતું કે કેમિકલને કારણે પગમાં સડો થઈ જાય છે. કેમિકલવાળું પ્રદુષિત પાણી શરીરને અડવાને કારણે આવું બને છે. માત્ર ગામડી જ નહીં પણ ચોસર ગામમાં કેમિકલવાળા આ પાણીને કારણે ગામમાં અનેક લોકોને ખરજવું થયું છે. શરીર પર લાલ ચાઠા પડી ગયા છે.

ખેડૂતના પશુઓ જો આ ગંદા પાણીમાં સ્નાન કરે ત્યારે પશુઓ પણ રોગનો શિકાર બને છે. આવી તો અનેક સમસ્યા આ બંને ગામના લોકો વેઠી રહ્યા છે. કેમિકલવાળા પાણીને કારણે ગામમાં કોઈ યુવકને કોઈ પરિવાર પોતાની દીકરી આપવા પણ તૈયાર નથી. યુવાનોના ઝડપથી લગ્ન પણ થતા નથી. અનેક યુવાનો કુંવારા રહી ગયા છે. જ્યારે પણ સગપણ માટે કોઈ આવે છે તે ગામની કેમિકલયુક્ત નદીથી અને દુર્ગંધથી ત્રાસી જાય છે અને સંબંધ જોડવાની ના પાડી દે છે.

संबंधित पोस्ट

શ્રીગણેશ ખાંડ ઉધોઁગ સહકારી મંડળી લીમીટેડ -વટારીયાના ૮૫ કરોડના કૌભાંડ મામલે વધુ એક કર્મચારીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Vande Gujarat News

ब्राजील के राष्ट्रपति की PM मोदी से गुहार- कोरोना वैक्सीन की 20 लाख डोज करें सप्लाई

Vande Gujarat News

જંબુસરના વાવલી ખાતે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર મહોત્સવ યોજાયો

Vande Gujarat News

સમગ્ર સુરત જિલ્લામાં ચાર સરકારી હોસ્પિટલો ખાતે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેકિસનેશનનો પ્રારંભ

Vande Gujarat News

સ્વ.અહમદ પટેલનો ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે

Vande Gujarat News

અંકલેશ્વર પાલિકાના વિપક્ષની પ્રેસ કોન્ફ્રન્સ – સત્તા પક્ષને ભષ્ટ્ર અને જોહુકમીનો વહીવટ ગણાવી કર્યા પ્રહાર

Vande Gujarat News