Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsGujaratPollution

ઔદ્યોગિક વસાહતો માંથી ટેન્કરો દ્વારા ખાડીઓ માં ગેરકાયદેસર ના પ્રદુષિત પાણી ના થતા નિકાલ નું કૌભાંડ ઝડપાયું, GPCB એ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

ઔદ્યોગિક એકમો તેમના પ્રદુષિત પાણીનો નિકાલ સરકારી ધારાધોરણો અનુસાર કરવાનો હોય છે. છતાં પણ ખર્ચ બચાવવા માટે પ્રદુષિત પાણી નો નિકાલ ગેરકાયદેસર રીતે કુદરતી કાંસ કે ખાડીઓમાં થતો હોય છે.

ગત રાત્રે કીમ ખાડી પાસે મુખ્ય રસ્તા હાઇ-વે પર ગાડી માંથી જ પાઇપ દ્વારા ખાડી માં કેમિકલ નિકાલ કરતા ટેન્કર ને પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ દ્વારા ઝડપી લીધા હતા.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે, “અમોને માહિતી મળી હતી કે પાલોદ ગામ નજીક પાસે વહેતી કિમ ખાડી માં રોજ રાત્રે ટેન્કરો દ્વારા કેમિકલ ઠાલવવા માં આવે છે અને મુખ્ય હાઈ-વે પર થી જ ખાડી માં જાહેર માં જ ઠાલવી દેવામાં આવે છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ દ્વારા આજે એક ટેન્કર ને રંગે હાથ ઝડપી લીધા હતા અને અમોએ સ્થાનિક પોલીસ તેમજ જીપીસીબી ને બોલાવી ઘટના બાબતે માહિતગાર કર્યા હતા. જેથી જીપીસીબી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ ની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર, પાનોલી ઝગડીઆ અને અન્ય વસાહતો માંથી પણ કિમ-કોસંબા નજીક ની ખાડીઓ માં કેમિકલ નિકાલ ના કૌભાંડ થતા રહે છે. આવા કૃત્યો થી પર્યાવરણ ને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. ભૂગર્ભજળ અને માનવ સ્વાસ્થ્ય ને ના ભરપાઈ થાય એવું મોટું નુકસાન થાય છે.જેથી અમારી માંગણી છે કે પોલીસ અને જીપીસીબી દ્વારા યોગ્ય પારદર્શક કાર્યવાહી કરવામાં આવે. જાહેર માં થતી આવી પ્રવૃતિઓ બાબતે તંત્ર કેમ અજાણ હોઈ શકે? તંત્ર ની કાર્યવાહી શામે સ્થાનિકો માં શંકા વ્યક્ત કરાઈ રહી છે.

संबंधित पोस्ट

वैश्विक जलवायु सम्मेलन में पीएम मोदी बोले- पेरिस समझौते को हासिल करने के ट्रैक पर है भारत

Vande Gujarat News

સધર્ન કમાન્ડ દ્વારા ઓપન ઑનાલઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Vande Gujarat News

પ્રવાસીઓની પ્રવેશ મર્યાદમાં વધારો:સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે રોજ 12000 પ્રવાસીને એન્ટ્રી મળશે

Vande Gujarat News

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023 નું આયોજન કરાયું

Admin

GNFC ટાઉનશીપમાંથી ઈજાગ્રસ્ત મોરને મનમૈત્રી ફાઉન્ડેશને બચાવ્યો

Vande Gujarat News

कोरोना वैक्सीन को लेकर मुख्यमंत्री गहलोत का बड़ा बयान, कहा- भारत सरकार ने इसे सभी मापदंडों पर परखने के बाद राज्यों को भेजा है… घबराएं नहीं

Vande Gujarat News