Vande Gujarat News
Breaking News
AhmedabadAnkleshwarBharuchBreaking NewsCongressGujaratIndiaLifestyleNationalPolitical

ભરૂચના પનોતા પુત્ર અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની તંદુરસ્તી માટે અંકલેશ્વરમાં અવિરત જાપ

શહેર તેમજ તાલુકા વિસ્તારની જનતા પણ અંકલેશ્વરના પનોતા પુત્રના સ્વાસ્થ્ય માટે સ્વયંભૂ પ્રાર્થનામાં જોડાઈ…

અંકલેશ્વરના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્ય સભા સાંસદ અહેમદભાઇ પટેલ ની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે જેને લઇને સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ તાલુકા મથક ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ સામાન્ય લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઠેરઠેર તેમની તંદુરસ્તી જળવાય એ માટે વિવિધ પ્રાર્થના તેમજ જાપ અને બંદગી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ખાતે પણ 11મી નવેમ્બર થી સતત જાપ ચાલી રહ્યા છે.

અહેમદભાઇ પટેલની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે દિલ્હી ખાતે તેમની ઘનિષ્ઠ સારવાર પણ નિષ્ણાત તબીબની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને ભરૂચ જિલ્લા માટે તેઓનું સતત વિકાસશીલ યોગદાન જોતા સમગ્ર જિલ્લાની જનતામાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપોરભાઠા ગામે રાજકીય અગ્રણી અને નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની દ્વારા અવિરત જાપનું આયોજન કરાયું છે.

સક્કરપોરભાઠા ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવના મંદિરે ભુપેન્દ્ર જાની દ્વારા વ્યક્તિગત રીતે 11મી નવેમ્બરથી અહેમદભાઈ પટેલ ના સ્વાસ્થ્યની રક્ષા માટે મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ બ્રાહ્મણો દ્વારા અવિરત પણે તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ અંગે ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા ઉપરાંત અંકલેશ્વરના મૂળ વતની તેમજ ભરૃચ જિલ્લાની જનતા માટે જનહિતના સેંકડો કાર્ય કરનાર એવા અહેમદભાઇ પટેલની તંદુરસ્તી જળવાય એ માટે સ્વયંભૂ રીતે જનતા પ્રાર્થના બંદગી માટે જોડાઈ રહી છે અને દરેકને આપી કરવામાં આવી છે કે તમામે તમામ ધર્મના લોકો સ્વયંભૂ રીતે પોતાની શક્તિ મુજબ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે.

આજે સંદર્ભે શુક્રવારના રોજ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે જ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લાની જનતાને પણ અપીલ કરાઈ છે કે તેઓ પોતાની રીતે પણ આ જિલ્લાની મહાન વિભૂતિની તંદુરસ્તી માટે દુઆ પ્રાર્થના બંદગી ગુજારે.

              Advt.

संबंधित पोस्ट

ભરૂચ સિવિલમાં પાણીના કુલર બંધ દર્દીઓ વેચાતું પાણી પીવા મજબૂર

Vande Gujarat News

વાલિયા તાલુકાના 10 ગામોમાં ડિજીવીસીએલ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો.

Vande Gujarat News

ફ્રાન્સ પાસેથી ટ્રાન્સપોર્ટ ટેન્કર વિમાન ખરીદવા માટે ભારતની વિચારણા

Vande Gujarat News

આજે લાભપાંચમ – ગુજરાતીઓના વેપાર-ધંધા ફરી ધમધમશે – ભાજપના નવા ધારાસભ્યો પણ શપથ લેશે

Vande Gujarat News

કોંગ્રેસે મોદી સરકાર પર ટોણો માર્યો, ભાજપે કહ્યું- દેશને બદનામ કરવાની તક ચૂકશો નહીં

Vande Gujarat News

ભરૂચ સર્વે વિઝનઃ 300 કરોડના ખર્ચે વાગરાના 66 ગામો બનશે વર્લ્ડ ક્લાસ, પ્રોજેક્ટ શરૂ કરવા માટે કલાકોમાં 40 લાખ મળ્યાઃ કલેક્ટર તુષાર સુમેરા

Vande Gujarat News