Vande Gujarat News
Breaking News
AhmedabadAnkleshwarBharuchBreaking NewsCongressGujaratIndiaLifestyleNationalPolitical

ભરૂચના પનોતા પુત્ર અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની તંદુરસ્તી માટે અંકલેશ્વરમાં અવિરત જાપ

શહેર તેમજ તાલુકા વિસ્તારની જનતા પણ અંકલેશ્વરના પનોતા પુત્રના સ્વાસ્થ્ય માટે સ્વયંભૂ પ્રાર્થનામાં જોડાઈ…

અંકલેશ્વરના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્ય સભા સાંસદ અહેમદભાઇ પટેલ ની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે જેને લઇને સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ તાલુકા મથક ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ સામાન્ય લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઠેરઠેર તેમની તંદુરસ્તી જળવાય એ માટે વિવિધ પ્રાર્થના તેમજ જાપ અને બંદગી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ખાતે પણ 11મી નવેમ્બર થી સતત જાપ ચાલી રહ્યા છે.

અહેમદભાઇ પટેલની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે દિલ્હી ખાતે તેમની ઘનિષ્ઠ સારવાર પણ નિષ્ણાત તબીબની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને ભરૂચ જિલ્લા માટે તેઓનું સતત વિકાસશીલ યોગદાન જોતા સમગ્ર જિલ્લાની જનતામાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપોરભાઠા ગામે રાજકીય અગ્રણી અને નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની દ્વારા અવિરત જાપનું આયોજન કરાયું છે.

સક્કરપોરભાઠા ગામે આવેલ નર્મદેશ્વર મહાદેવના મંદિરે ભુપેન્દ્ર જાની દ્વારા વ્યક્તિગત રીતે 11મી નવેમ્બરથી અહેમદભાઈ પટેલ ના સ્વાસ્થ્યની રક્ષા માટે મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ બ્રાહ્મણો દ્વારા અવિરત પણે તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ અંગે ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા ઉપરાંત અંકલેશ્વરના મૂળ વતની તેમજ ભરૃચ જિલ્લાની જનતા માટે જનહિતના સેંકડો કાર્ય કરનાર એવા અહેમદભાઇ પટેલની તંદુરસ્તી જળવાય એ માટે સ્વયંભૂ રીતે જનતા પ્રાર્થના બંદગી માટે જોડાઈ રહી છે અને દરેકને આપી કરવામાં આવી છે કે તમામે તમામ ધર્મના લોકો સ્વયંભૂ રીતે પોતાની શક્તિ મુજબ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે.

આજે સંદર્ભે શુક્રવારના રોજ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે જ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લાની જનતાને પણ અપીલ કરાઈ છે કે તેઓ પોતાની રીતે પણ આ જિલ્લાની મહાન વિભૂતિની તંદુરસ્તી માટે દુઆ પ્રાર્થના બંદગી ગુજારે.

              Advt.

संबंधित पोस्ट

RBIએ રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી, હોમ લોનની EMI વધશે

Admin

Remembering Stephen Hawking: Books and quotes from the scientist that prove his genius

Admin

અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોરનો આતંક યથાવત, હવે હાટકેશ્વરમાં મહિલાની લીધી અડફેટે, તંત્રના દાવાની ખુલી પોલ!

Admin

બાઈડેન એક્શનમાં:અમેરિકામાં પાંચ લાખ ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો, બાઈડેને ટ્રમ્પના 17 નિર્ણયો ઊલટાવી દીધા

Vande Gujarat News

ભરૂચના પ્રકૃતિ પ્રેમી પરિવારે ઘર આંગણે જ આયુર્વેદિક છોડનો બગીચો બનાવ્યો, 500 સ્ક્વેર ફૂટમાં 200 જેટલા નાના મોટાં છોડ ઉછેર્યા

Vande Gujarat News

कलयुग के दानवीर कर्ण बने डॉ अरविंद गोयल, जिंदगी भर की कमाई 600 करोड़ रुपये गरीबों को कर दी दान

Vande Gujarat News