Vande Gujarat News
Breaking News
AhmedabadBharuchBreaking NewsCongressGujaratHealthIndiaNationalOtherPoliticalSocial

ભરૂચના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ “બાબુભાઈ”ની તંદુરસ્તી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ અને યજ્ઞનું આયોજન કરાયું

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્યસભા ના સાંસદ અહેમદભાઈ પટેલ ની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે. જેને લઈને ભરૂચ જિલ્લાના કોંગ્રેસ ના તમામ તાલુકા મથકો તેમની તંદુરસ્તી જળવાય રહે તે માટે વિવિધ પ્રાર્થના તેમજ જાપ અને બંદગી કરવામાં આવી રહી છે.

ભરૂચ ના પનોતા પુત્ર અહેમદ ભાઈ પટેલની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે. દિલ્હી ખાતે તેમની સારવાર તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને જિલ્લામાં એવું સતત વિકાસશીલ યોગદાન જોતાં સમગ્ર જિલ્લાની જનતા પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.

નાદુરસ્ત તબિયતના હોવાથી તેઓના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ બની રહે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાપ અને પ્રાર્થના સભામાં પ્રદેશ મંત્રી રાજેન્દ્ર સિંહ રણા, જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ તેજપાલસિંગ શોખી, સદીપ માંગરોલા, ધ્રુતા રાવલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો એ હાજરી આપી હતી.

संबंधित पोस्ट

ट्रंप पर फेसबुक-ट्विटर की कार्रवाई का BJP ने किया विरोध, कहा- अनियंत्रित टेक कंपनियां लोकतंत्र के लिए खतरा

Vande Gujarat News

बीजेपी MLA बोले- किसान आंदोलन में चल रही चिकन बिरयानी, बर्ड फ्लू फैलने का खतरा

Vande Gujarat News

सीडीएस ने देखा भारत-फ्रांस का युद्धाभ्यास

Vande Gujarat News

ભરૂચ જિલ્લાને D-4 કેટેગરીમાં મુકવાની માંગ સાથે ખેડૂતો સરકાર સામે બાંયો ચઢાવવાના મૂડમાં, ભરૂચ જિલ્લાને રાજ્ય સરકાર D-4 કેટેગરીમાં ક્યારે લાવશે???

Vande Gujarat News

जम्मू-कश्मीर DDC चुनाव: दूसरे चरण की 43 सीटों पर वोटिंग शुरू

Vande Gujarat News

કેલ્વીકુવાના ખેડુતના બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા અંજપો, છ મહિના પહેલા 200 ફૂટ ઊંડો બોર ખોદવા છતાં પાણી નહોતું નીકળ્યું – હવે અચાનક ફીણ સાથે પાણી બહાર આવ્યું

Vande Gujarat News