Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsGujaratSocial

લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ, જમણવાર!

– નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!

– લગ્નના આગલા દિવસે મંડપ અને સાંજે લાપસી જમણ યોજી કુલ 400 સંબંધીઓને સાચવી લેવાય!

સામાજીક જુગાડ કોને કહેવાય તે લગ્નપ્રસંગોમાં જોવા મળી રહ્યું છે. બહોળો પરિવાર, સંબંધો અને મિત્રવર્તુળ હોય તેવા પરિવારો લગ્નમાં સંબંધ સાચવવા ચાર પ્રસંગ અને ચાર જમણવાર યોજી રહ્યાં છે. 100થી વધુ લોકો ન હોવા જોઈએ તેવા નિયમ વચ્ચે લોકોએ આ જુગાડુ પદ્ધતિ અમલમાં મુકી છે. કાયદાની તોડમરોડ સામે પોલીસ 100 માથાં જ ગણી રહી છે.

કોરોનાને અટકાવવા માટે લગ્નપ્રસંગમાં હાજર રહેનારાંની સંખ્યા 200થી ઘટાડીને 100 કરી દેવામાં આવી છે. વર્તમાન સંજોગોમાં સામાન્ય પરિવારમાં પણ 200 થી 300 લોકોનું રસોડું થાય એ સ્વાભાવિક છે.

પણ, કોરોનાના કારણે માત્ર 100 લોકોની મંજુરી હોવાથી જે લોકો બહોળો પરિવાર અને મિત્ર વર્તુળ ધરાવે છે તેવા પરિવારો અસમંજસમાં આવી ગયાં છે. 1000 લોકોની ગણતરી હોય તેવા સંજોગોમાં અડધા લોકોને કટ કરીને 500 લોકોને આમંત્રણ આપી 100-100 લોકોના ચાર જમણવાર યોજવા ચાર પ્રસંગ કરવામાં આવી રહ્યાં છે.

સંબંધ જાળવણી માટે સામાજીક જુગાર કરતાં અમુક પરિવારોએ લગ્નના આગલા સાવ અંગત લોકોના મંડપના જમણવારમાં સંખ્યા વધારી સંબંધી મહિલા સભ્યોને તેમાં ઉમેરી દેવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સાંજના સમયે લાપસી જમણ યોજવામાં આવી છે. જ્યારે, લગ્ન એટલે કે જાન પછી છેવટે રિસેપ્શન યોજવામાં આવે છે.

આ રીતે એક જ લગ્નમાં કુલ 4 પ્રસંગોમાં જમણવાર યોજીને 400 લોકોને સાચવી લેેવામાં આવે છે. પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, લગ્નપ્રસંગમાં કેટલા પેટા પ્રસંગ હોય તેવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કે 100થી વધુ લોકો એકત્ર થયાં હોય તેમ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે.

संबंधित पोस्ट

ભરૂચમાં નારાજ 100 કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો, કોંગ્રેસનો હાથ પકડ્યો

Vande Gujarat News

પરીક્ષામાં આવેલા માર્ક્સ તમારા વ્યક્તિત્વની પારાશીશી નથી: કલેકટર અશોક શર્મા વિદ્યાર્થીઓએ મોકળા મને કરી પ્રશ્નોત્તરી

Admin

નર્મદા નદીના ઘાટ પર શ્રાદ્ધ અને પિતૃ તર્પણ માટે લોકો ઉમટયા

Vande Gujarat News

दिवाली पर आतिशबाजी ने बढ़ाया प्रदूषण, दिल्ली के कई इलाकों में AQI 999 तक पहुंचा

Vande Gujarat News

બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ડીએસપી ડૉ લીના પાટિલ તેમજ મુમતાઝ પટેલે બાળકોને જીવન જીવવાની શીખવી કળા

Vande Gujarat News

राज्य परिक्रमा के लिए परिवर्तन यात्रा शुरू करेगी भाजपा, जेपी नड्डा करेंगे उद्घाटन

Vande Gujarat News