Vande Gujarat News
Breaking News
AhmedabadAnkleshwarBharuchBreaking NewsCongressGujaratIndiaNationalSocial

અમે ભાઇ બહેન સદા તત્પર રહી પિતાના અવિરત સેવા ના કાર્યોને આગળ ધપાવીશું : ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ સિદ્દીકી

અંકલેશ્વર ના પીરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલ ના નિવાસ સ્થાને ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી મોટી સંખ્યા માં નેતાઓ, કાર્યકરો સહીત ચાહકો મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા ઉમટી પડ્યા હતા. ગુજરાત કોંગ્રેસ ના ધારાસભ્યો પણ આવી પહોંચ્યા હતા અને તેમના પરિવાર ને મળી સાંત્વના પાઠવી હતી.

સાલીન અને સરળ સ્વભાવ જેમનું વ્યક્તિત્વ હતુ, એવા લોકલાડીલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ.અહેમદ પટેલ ના દુઃખદ અવસાન થી તેમના પરિવારજનો સહિત કોંગ્રેસ ને ક્યારે પણ પુરી ન શકાય તેવી ખોટ પડી છે. આ દુઃખદ ઘડી માં સ્વ.અહેમદ પટેલ ના પરિવારજનો ને સાંત્વના પાઠવવા માટે રાજ્ય તેમજ દેશ ના અન્ય રાજ્યો થી સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા નેતાઓ, ધારાસભ્યો સહિત લોકો મોટી સંખ્યામાં ભારે હૈયે ઉમટી પડયા હતા. તેમના નિધન ના પગલે ગુજરાત કોંગ્રેસ ના ધારાસભ્યો પણ આવી પહોંચી
સ્વ. અહેમદભાઈ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલને સાંત્વના અર્પી હતી..

સ્વ.અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ચાહકોને મળી પિતા માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. ફૈઝલ ભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પિતા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને પિતા દ્વારા સ્થપાયેલ આરોગ્ય અને શૈક્ષણિક સહિત સેવાકીય સંસ્થા ને આગળ ધપાવી પિતા ના સપનાઓને સાકાર કરીશું. અમે પરિવાર ના મોભી ગુમાવ્યા છે. પરંતુ છેલ્લા 3 દિવસ થી અશ્રુભીની આંખે આવતા લોકો ને જોઇ ને લાગે છે કે અમારે લાગણીશીલ લોકોને સાંભળવા પડે છે. ત્યારે લોકો ની સેવા માટે અમે ભાઇ બહેન સદા તત્પર રહી પિતાના અવિરત સેવા ના કાર્યોને આગળ ધપાવીશું. સમાજ ના નબળા કચડાયેલા અને છેવાડાના માનવી સેવા કાર્ય કાજે કટિબદ્ધ રહીશું.

પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી એ જણાવ્યું હતું કે ધારાસભ્ય કે સાંસદ બની ને નહીં પણ પિતા ની જેમ સાચા લોક સેવક બની ને કાર્ય કરીશું. અહીં આવતા કેટલાક આગેવાનો તેમજ સમાન્યજની દ્વારા તેઓ ને પિતાનું સ્થાન લેવા માટે આગ્રહ કરતા હતાં. જો કે તેમને પિતાના જનસેવા ના કાર્ય કરવા કટિબદ્ધતા બતાવી હતી.

संबंधित पोस्ट

પાણી-પુરવઠાની ૬ જેટલી વિવિધ યોજનાના ખાતમુહૂર્ત કરવા આવનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમની તડામાર તૈયારી

Vande Gujarat News

कोरोना वैक्सीन को लेकर अफवाह फैलाने वाले लोगों पर होगी कड़ी कार्रवाई

Vande Gujarat News

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં “નયના ચોક” ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ અને સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ “૭૫ મા સ્વાતંત્ર પર્વની” ધ્વજ વંદન કરી હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી.

Vande Gujarat News

શ્રીગણેશ ખાંડ ઉધોઁગ સહકારી મંડળી લીમીટેડ -વટારીયાના ૮૫ કરોડના કૌભાંડ મામલે વધુ એક કર્મચારીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Vande Gujarat News

વડોદરા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે, કલેક્ટર ઓફિસમાં મેરેથોન બેઠકોનો દોર

Admin

મર્હુમ અહેમદભાઈ પટેલના માનમાં કોણે આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ, જુઓ… અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ શું કરશે અહેમદભાઈના માનમાં…!!!

Vande Gujarat News