Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsCrimeGujaratTapi (Vyara)

હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર સફાળે જાગ્યું, બીજેપીના નેતા કાંતિ ગામિતની ધરપકડ

– પૌત્રીની સગાઇમાં હજારો લોકોને ભેગા કર્યા હતા

– સુરતના ડીવાયએસપી ઉષા રાડા કેસની તપાસ કરશે

તાપી જિલ્લાના સોનગઢમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોરોનાની ગાઇડલાઇન ના ધજાગરા ઉડ્યાં હતા. તેને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક વિડિયો પણ વાયરલ થયા છે. જેને લઇને આજે પૂર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 308 હેઠળ ગુનો નોંધાયો છે.

તેમના પુત્ર જિતુ ગામીત સામે પણ ગુનો નોંધાયો છે. આ સિવાય કાંતિ ગામીત સામે કલમ 188, 269 અને 270ની કલમ લગાડવામાં આવી છે. આ ઉપરાંત જીપીએની કલમ 131 લગાડાઈ છે અને એપેડેમિક એક્ટ 3 હેઠળ પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51-બી હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પિતા-પુત્ર ઉપરાંત અન્ય 18 જણા સામે ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગામિત પણ સામેલ છે. આ ગરબામાં સ્થાનિક પોલીસની સાથે વહીવટીતંત્ર પણ ગરબે ઘૂમતુ હતુ એમ કહેવાય છે

હાઇકોર્ટની ટકોર અને સોશિયલ મીડિયામાં ચારેય બાજુએ સરકારની ટીકાને પગલે વધેલા દબાણના પગલે સરકારે કાંતિ ગામિતની ધરપકડ કરવાની ફરજ પડી હતી. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો જણાવ્યું છે છતા પૂર્વ મંત્રીની પૌત્રીની લગ્નમાં છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા.

કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં છ હજારથી પણ વધુ લોકોની જનમેદની ઉમટી હતી અને તેમણે સત્તાવાર કહ્યું હતું કે બે હજારને તો મેં આમંત્રણ આપ્યુ છે. આ સમગ્ર કેસની તપાસ સુરતના ડીએસપી ઉષા રાડા કરશે.

ઉલ્લેખનીય છે કે એક તરફ સામન્ય નાગરીક જ્યારે લગ્ન પ્રસંગમાં નિયત સંખ્યા કરતા વધારે લોકો બોલાવે છે ત્યારે તેને મસમોટ દંડ ફટકારી દેવામાં આવે છે ત્યારે તંત્ર સત્તામાં બેઠેલી પાર્ટીના નેતાની સામે કાર્યવાહી કરતા ડરી રહીં છે. સોમવારની ઘટનમાં ઠેક હાઇકોર્ટેની ટકોર બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટમાં રાજ્ય સરકાર વતી સરકારી વકીલનું નિવેદન આપ્યું હતું કે પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી નહતી.

संबंधित पोस्ट

भारत ने कुशल पेशेवरों को जापान में रोजगार दिलाने से जुड़े करार पर किए हस्ताक्षर

Vande Gujarat News

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનસીસી કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

Vande Gujarat News

અતિથિ દેવો ભવઃ “જળ જમીન બચાવો, પર્યાવરણ બચાવો” નેમ સાથે કલકત્તા થી નીકળેલ સાયકલિસ્ટ નું ભરૂચ સ્વાગત

Vande Gujarat News

રાજકોટ: વ્યાજના વિષચક્રે વધુ એક યુવકનો ભોગ લીધો, જિમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને આપઘાત કર્યો

Admin

25 द‍िसंबर : अटल बिहारी वाजपेयी जन्‍मदि‍न: कवि, पत्रकार, राजनेता, ऐसी थी शख्‍सियत

Vande Gujarat News

અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત આઇ.ટી.ઓન વ્હીલ્સ વાન શરૂ થઈ

Vande Gujarat News