Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsEducationalGujaratSocial

વાલીનું કોરોનામાં મૃત્યુ થયું હશે તો બાળક ભણે ત્યાં સુધી ફી માફ – વર્કિંગ માતા કે પિતા બંનેમાંથી કોઈ પણ

– 8 હજારથી વધુ સ્કૂલોના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો નિર્ણય : કોરોનાનું સર્ટિ.રજૂ કરવુ પડશે

અમદાવાદ,

રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીનું કોરોનામાં મૃત્યુ થયુ હોય તો કે જો ભવિષ્યમાં થાય તો બાળકની ભણે ત્યાં સુધી ફી માફ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આવેલી 8 હજારથી વધુ ખાનગી સ્કૂલોના સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મહામંડળના  પ્રવક્તા ડૉ.દિપક રાજ્યગુરૂએ જણાવ્યું કે રાજ્યમાં આવેલી અમારી તમામ સભ્ય સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલમાં બાળકના વાલી જો કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તો તે બાળકની સંપૂર્ણ ફી માફ કરાશે.

બાળકના માતા કે પિતા બંનેમાંથી જે પણ કામ કરતા હોય અને ફી ભરતા હોય તો બંનેમાંથી કોઈ પણ જો કોરોના સંક્રમણથી મૃત્યુ પામે તો ફી આપવાનો અમે નિર્ણય કર્યો છે. સ્કૂલમાં જ્યાં સુધીના ધોરણ હશે ત્યાં સુધી બાળકની સંપૂર્ણ ફી માફી થશે.જો કોઈ સ્કૂલમાં ધો.8 હોય કે ધો.10 હોય કે ધો.12 સુધી હોય અને બાળક જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેના પરિવારને ફી ભરવામાંથી માફી મળશે.

મહત્વનુ છે કે ઘણા બાળકોના માતા-પિતાનું કોરોનામાં મૃત્યુ થયુ છે અને પિતાનું મૃત્યુ થતા ઘણા બાળકોની ફી ભરી શકાતી નથી ત્યારે સંચાલક મંડળના આ નિર્ણયથી આવા બાળકોનું ભણવાનું નહી છુટે અને તેમના પરિવારને મોટી રાહત મળશે. પરંતુ માતા કે પિતા બંનેમાંથી જે વર્કિંગ પર્સન હોય અને તેમની આવકમાંથી ફી ભરાતી હોય તો તેમનુ કોરોનાથી જ મૃત્યુ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવુ પડશે.

संबंधित पोस्ट

કોંગ્રેસના ધારાસભ્યની થઈ ધરપકડ, આસામ ની કોકરાઝાર પોલીસે ગુજરાતમાંથી કોંગ્રેસ સમર્પિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કરી ધરપકડ, શું છે સમગ્ર મામલો જુઓ…

Vande Gujarat News

વાગરા તાલુકામાં આવેલ યુપીએલ કંપની ના ગેટ ઉપર ધરણા પર બેસેલા પાદરીયા અને પણીયાદરા ગામના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જુઓ આ વીડિયો, શું છે ગ્રામજનોની માંગણી..

Vande Gujarat News

SBI में इन पदों पर निकली बंपर भर्तियां, यह है आवेदन की आखिरी तारीख

Vande Gujarat News

અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત આઇ.ટી.ઓન વ્હીલ્સ વાન શરૂ થઈ

Vande Gujarat News

સુરત : ઓલપાડ સેન્ટર ખાતે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન…

Admin

फ्रांस से उड़कर सीधे भारत पहुंचे तीन और राफेल, लड़ाकू विमान फ्रांस से उड़कर सीधे जामनगर एयरबेस पर उतरे

Vande Gujarat News