Vande Gujarat News
Breaking News
AgricultureBharuchBreaking NewsFarmerGujaratProtest

ભરૂચના APMC – કતોપોરના વેપારીઓ ભારત બંધમાં જોડાશે

કિસાનોને પડતી સમસ્યામાં તેમની પડખે ઉભા રહેવા લોકોને અપીલ

સરકાર દ્વારા આપવામાં આવેલા ત્રણ ભૂમિ અધ્યાદેશ રદ્દ કરવા 8મી ડિસેમ્બરે કિસાનોએ ભારત બંધનું એલાન આપ્યું છે.ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ કેટલાય સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.જેમાં શહેરમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા મહમદપુરા એપીએમસી માર્કેટના વેપારીઓએ પણ સમર્થન જાહેર કરીને જનતાને બંધમાં જોડાવવા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની અપીલ કરાઈ છે.

માર્કેટ સહીતના બધાજ વેપારીઓ સંગઠનો સ્વૈચ્છિક જોડાય તેવું જણાવ્યું છે. આ મામલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે,આ કાળો કાનૂનનો વિરોધ ભારત દેશના દરેક નાગરિકો અને કિસાનોને નુકસાનકર્તા છે.કાળા બજારી થશે.અને ઉદ્યોગપતિઓનું સામ્રાજ્ય સ્થાપિત થશે તેમની સામે લડવા માટે કોર્ટમાં નહીં જવાય.કિસાનો મજદૂર બની જશે.અને ન્યાયની આશા નહિવત રહેશે.જેથી ભરુચ જિલ્લાના વેપારી એસોસીએસનોને આ બંધમાં જોડાઈને કિસાનોનો અવાજ બની એમની પડખે ઉભા રહી એક દિવસ પોતાના વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખી ભારત બંધ ના એલાન માં સહયોગ આપવા નમ્ર અપીલ છે.

જયારે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન, કતોપોર બજાર, જૂની માર્કેટ વેપારી એસોસીએશન કતોપોર બજાર પાસે શાકમાર્કેટના વેપારીઓ પણ ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કરીને વેપારીઓને જડબેસલાક સ્વેચ્છિક બંધને સમર્થન આપવા અપીલ કરી છે.

संबंधित पोस्ट

ગુજરાત પોલીસને આપવામાં આવેલા 10,000 બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું

Vande Gujarat News

ફ્રાન્સના ચર્ચમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે આતંકીનો ચાકુથી હુમલો, ત્રણની હત્યા – આતંકવાદીએ છરીથી મહિલાનું માથું ધડથી અલગ કર્યું

Vande Gujarat News

મુલદ ટોલ માટે ભરૂચવાસીઓએ પણ રૂ. 275નો પાસ લેવો પડશે

Vande Gujarat News

ભરુચ જિલ્લાના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રિઝના ગોડાઉનમાં આગ, કોઈ જાનહાની નહીં

Vande Gujarat News

कोरोना की नई स्‍ट्रेन का खतरा, महाराष्‍ट्र सरकार ने किया नाइट कर्फ्यू का ऐलान

Vande Gujarat News

ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટે ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની પણ ઉજવણી કરવામાં આવી

Vande Gujarat News