Vande Gujarat News
Breaking News
AgricultureBharuchBreaking NewsFarmerJambusarPollution

ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે નદી કિનારે આવેલા મહાપુરા ગામ સહિતના ખેડુતોની ખેતીને મોટું નુકસાન

ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે જંબુસર તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલા મહાપુરા ગામ સહિતના ખેડુતોની મહામુલી ખેતીને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.સંજય પટેલ – જંબુસર આમોદને જોડતા માર્ગ પરથી ઢાઢર નદી વહી રહી છે. ઢાઢર નદીના પાણીથી નદીના કિનારે આવેલ મહાપુરા સહિતના ગામોના ખેડુતો નદીના પાણીનો ઉપયોગ કરી પોતાની ખેતી જીવંત રાખતા હોય છે. જંબુસર તાલુકાના નદીકાંઠા વિસ્તારના ગામડાંના ખેડૂતો ઉપર કુદરતી આપત્તિ આવતી હોય છે. ઢાઢર નદીમાં પૂર આવતાં ધાધર કિનારાના ખેતરોમાં ખેડુતોની મહામુલી ખેતી નાશ પામતી હોય છે અને ચોમાસા સિવાય માનવસર્જિત આપત્તિનો ખેડુતો સામનો કરી રહ્યાં છે.

વડોદરા તરફ આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓ દ્વારા ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય અને ઢાઢર નદીના પાણીથી જ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. કેમિકલયુક્ત પાણીને લઇ ખેડુતોની મહામુલી ખેતી કપાસ મગ તુવેર નષ્ટ પામે છે. જેને લઇ ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. ઢાઢર નદીમાં પાણીનો કલર પણ બદલાતો નજરે પડે છે. તંત્ર દ્વારા આ બાબતે ચોક્કસ ધ્યાન આપવામાં આવે અને જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કડક પગલા ભરવામાં આવે તો ખેડુતોની મહામુલી ખેતી બચી શકે.

संबंधित पोस्ट

વોટ્સએપ યુઝર્સ માટે ખાસ : નવા વર્ષથી અમુક એન્ડ્રોઈડ અને આઈફોનમાં વોટ્સએપ નહિ ચાલે, તમારો ફોન આ લિસ્ટમાં છે કે નહિ ચેક કરો

Vande Gujarat News

ધરપકડ:ભરૂચથી મહારષ્ટ્ર તરફ લઈ જવાતા 17 પશુઓને અંકલેશ્વરથી બચાવી લેવાયા

Vande Gujarat News

દાનહમાં 21 એકરમાં 50 કરોડના ખર્ચે સુભાષચંન્દ્ર બોઝ સૈનિક સ્કૂલ બનશે

Vande Gujarat News

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે આઠમો પાટોત્સવ યોજાયો

Vande Gujarat News

ROTARIANS SPREADING PEACE ACROSS BORDERS

Admin

DSP बेटी को इंस्पेक्टर पिता ने ‘नमस्ते मैडम’ कहकर किया सैल्यूट, वायरल हुई PHOTO

Vande Gujarat News