Vande Gujarat News
Breaking News
AccidentBharuchBreaking NewsNetrang

નેત્રંગના ગાંધીબજાર વિસ્તારના બે મકાનોને બળીને ખાખ, કોઇ જાનહાનિ નહીં

નેત્રંગના ગાંધીબજાર વિસ્તારના બે મકાનોને બળીને ખાખ થઇ જતાં ભારે આથિૅક નુકસાન પહોંચ્યું હતું.

દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારના તુલસી ફળીયામાં રહેતા સુરજબેન લક્ષ્મણભાઇ વસાવા અને બબલીબેન વિઠ્ઠલભાઈ પરમાર મજુરીકામ કામ કરીને ઘરગુજરાન ચલાવી જીવનનિવૉહ કરે છે. પોતાના નિત્યક્રમ રાત્રીએ જમી-પરવીને રાત્રી સમયે સુઇ ગયા હતા. એકાએક સવારના પાંચ વાગ્યાની અરસામાં કોઇ અગમ્યા કારણોસર મકાનમાં આગ લારતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પરિવાર સભ્યો અને આજુબાજુના રહીશોએ આગને બુઝાવવા માટે ભરપુર પ્રયાસો કયૉ હતા. પરંતુ આગની ઝપેટમાં કાળી મજુરી કરીનેે વસાવેલ મિલકત પોતાની નજર હાં જ બળીને ખાખ થઇ ગઇ હતી. જેેમાં પલંગ, બેડ, પંખા, ટ્યુબલાઇટ સહિતના જીવજરૂરીયાતની ચીજવસ્તુનો તમામ પ્રકારનો સામાન બળીને ખાખ થઇ જતાં ભારે નુકસાન થયાના અહેવાલ મળ્યા છે. સદનસીબે બનાવના પગલે ઘર-પરીવારના સભ્યોને કોઇ ઇજા-જાનહાની થઇ ન હતી. આ બાબતે જવાબદાર લોકોે પંચકેશ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

 

संबंधित पोस्ट

જે એસ એસ ભરૂચ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ઉજવાય રહેલ સ્વછતા પખવાડિયામાં ડ્રૉઇંગ સ્પર્ધા યોજાઈ 

Vande Gujarat News

મોદીના આગમન સમયે એમ્બ્યુલન્સ અટવાઇઃ પોલીસે માર્ગ કરી આપ્યો, ચાંગોદર ઝાયડસ સામે જ બનેલી ઘટના

Vande Gujarat News

હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ ચિરંજીવી શ્રી હનુમાનજી નો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

Vande Gujarat News

ભરૂચના કયા વિસ્તારના નાના ભૂલકાઓએ નૂતન વર્ષના દિવસે “સબરસ” વેચી અને ગૌશાળાને કર્યું દાન જુઓ, “વંદે ગુજરાત” સમાચારમાં

Vande Gujarat News

ઑનલાઈન ડેવલપમેન્ટ પરમિશન 2.0નો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

Vande Gujarat News

હર ઘર દસ્તક 2.0” અંતર્ગત ૪૦ દિવસમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના રસીકરણ

Vande Gujarat News